'ભારતીય મુસ્લિમોએ ખુદને પીડિત તરીકે રજૂ કરવાનું બંધ કરવું જોઈએ' :ઝફર સરેશવાલા


  • Published By :
  • Published Date : 2023-06-22 15:16:44

દેશના જાણીતા મુસ્લીમ બિઝનેશ મેન અને મૌલાના આઝાદ નેશનલ ઉર્દુ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલાના એક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. ઝફર સરેશવાલાએ સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં મુસ્લિમોને સંબોધતા કહ્યું હતું કે ભારતીય મુસ્લિમોએ હંમેશા તેમને પિડીત ગણાવવાનું બંધ કરવું જોઈએ. તેમણે ભારતીય મુસ્લિમોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પર ધ્યાન આપવાની પણ સલાહ આપી હતી.


ફરિયાદ કરવાનું બંધ કરો


ઝફર સરેશવાલાએ જેદ્દાહમાં યોજાયેલા એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા કહ્યું કે ભારતમાં મુસ્લીમો સાથે ભેદભાવ થાય છે, પરંતું કેટલાક તત્વો દ્વારા જ તે કરવામાં આવી રહ્યો છે. ભારતીય મુસ્લિમોએ ફરિયાદો કરવાને બદલે માત્ર શિક્ષણ પર ફોકસ કરવું જોઈએ. કોઈ પણ સમુદાય હંમેશા આંદોલનકારી ન રહી શકે. તેણે પિડીત હોવાની વિચારસરણી પણ છોડવાની જરૂર છે. તેમણે સિવિલ સેવાઓમાં પણ ભારતીય મુસ્લિમોએ ભાગીદારી વધારવી જોઈએ તેવી પણ સલાહ આપી હતી.


'હિંદુ ભાઈઓ સામે સારી ઈમેજ રજુ કરો'


સરેશવાલાએ ભારતીય મુસ્લીમોને સલાહ આપતા કહ્યું કે તેમણે તેમના હિંદુ ભાઈ-બહેનો સાથે વાત કરીને તેમની સારી ઈમેજ રજુ કરાવાના પ્રયાસો કરવા જોઈએ. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી સંઘર્ષ થતો રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે ઝફર સરેશવાલા અમદાવાદના ઉદ્યોગપતિ છે અને પીએમ મોદીના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.