Vadodaraમાં GETCO ઓફિસની બહાર પરીક્ષાર્થીઓના ધરણા, ફૂટપાટ પર સૂઈ રાત કાઢી, Yuvrajsinh પણ રહ્યા હાજર


  • Published By :
  • Published Date : 2023-12-22 10:33:08

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. 1224 જેટલી જગ્યાઓ માટે જેટકો દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ પોલ ટેસ્ટમાં ક્ષતિ હોવાને કારણે આ ભરતી પ્રક્રિયાને રદ્દ કરવામાં આવી છે જેને કારણે પરીક્ષાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા પરીક્ષા માટેની નવી તારીખો જાહેર કરવામાં આવી છે પરંતુ આ બધા વચ્ચે વડોદરા ખાતે પરીક્ષાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો, રાત્રે પણ વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓ ત્યાં રહ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ પરીક્ષાર્થીઓ જોડે રહ્યા હતા. આજે તેમના વિરોધનો બીજો દિવસ છે.



પરીક્ષાર્થીઓમાં ભારે રોષ    

સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે જો ઓફિસમાં મોટા અધિકારીઓ ન હોય તો વ્યવસ્થા ખોરવાઈ જાય છે. ઓફિસમાં કામ કરતા નાના કર્મચારીઓની આપણે અનેક વખત કદર નથી કરતા પરંતુ જ્યારે તે નાનો કર્મચારી ઓફિસમાં હાજર ન હોય ત્યારે અનેક લોકોના કામ અટકી જતા હોય છે. ત્યારે ગામમાં પણ એવું જ હોય છે. એક તરફ સરકાર અનેક ભરતી કરવાની જાહેરાતો કરે છે પરંતુ અનેક વખત એવું થાય છે કે સરકારને જાણે ભરતી કરવામાં રસ જ ન હોય તેવું લાગ્યા કરે છે!

Image

ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે વિરોધ 

જેટકોના પરીક્ષાર્થીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરવા, વિરોધ પ્રદર્શન કરવા માટે વડોદરા પહોંચ્યા છે. મોટી સંખ્યામાં જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ ધરણા કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે. એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે કે જો તેમની માગ નહીં સ્વીકારવામાં આવે તો તેઓ વિધાનસભાનો ઘેરાવો કરશે ઉપરાંત ઉર્જામંત્રીના ઘરનો પણ ઘેરાવો કરશે. 

Image

Image

સરકારે પરીક્ષા માટે નવી તારીખ કરી જાહેર  

વિરોધ કરી રહેલા પરીક્ષાર્થીઓના પ્રદર્શનનો આજે બીજો દિવસ છે. એક તરફ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ પરીક્ષાર્થીઓ પોતાની માગને લઈ મક્કમ છે. ઠંડી છે તો પણ તેઓ ઓફિસની બહાર રહ્યા અને આખી રાત ત્યાં કાઢી. મહત્વનું છે કે સરકાર દ્વારા પરીક્ષાને લઈ નવી તારીખો જાહેર કરવામાં આવી છે. જેટકોના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેન્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. સરકારે તાત્કાલિક પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. 28 અને 29 તારીખે પોલ ટ્રેસ્ટ લેવામાં આવશે. 7 તારીખે અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. 


અનેક સપનાઓ તૂટે છે!

સરકાર માટે પરીક્ષા રદ્દ કરવી અને ફરીથી પરીક્ષાનું આયોજન કરવું સામાન્ય હશે પરંતુ પરીક્ષાર્થીઓ માટે આ વાત સામાન્ય નથી. નોકરી મળશે તે માટે પરીક્ષાર્થીએ અને તેના પરિવારે સખત મહેનત કરી હોય છે. એક પરીક્ષા રદ્દ નથી થતી પરંતુ અનેક સપનાઓ તૂટી જાય છે.             



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!