Gyan sahayakનો વિરોધ કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં Yuvrajsinhએ કરી આવી ટ્વિટ, વીડિયોમાં વર્ણવી TET-TAT પાસ ઉમેદવારોની વેદના, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-11-12 11:46:56

ગુજરાતના ભાવિ શિક્ષકો આંદોલન કરી રહ્યા છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરવામાં આવે તેવી તેમની માગ છે. સરકાર સુધી તેમની માગ પહોંચાડવા માટે તેમણે અલગ અલગ રીતે આંદોલન કર્યા હતા. આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ ઉમેદવારોના સમર્થનમાં આવી. આમ આદમી પાર્ટી દ્વારા દાંડી યાત્રા 2.0નું આયોજન કરાયું, તે ઉપરાંત અલગ અલગ સ્થળો પર આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી પરંતુ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવ્યું. દિવાળીની ઉજવણી થઈ રહી છે ત્યારે યુવરાજસિંહે એક વીડિયો શેર કર્યો છે જેમાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોની દિવાળી કેવી છે તે બતાવ્યું છે.

ભાવિ શિક્ષકો કરી રહ્યા છે જ્ઞાન સહાયકનો વિરોધ 

રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત ઘટી રહ્યું છે. શાળાઓના અનેક વખત એવા સમાચાર આવે છે જે જોઈને લાગે કે આ શાળા વિકાસશીલ ગણાતા ગુજરાતની છે? શિક્ષણની સ્થિતિ પ્રતિદિન લથડતી જઈ રહી છે. કોઈ શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી તો કોઈ વખત શાળાની સ્થિતિ એકદમ ગંભીર છે. ત્યારે ગુજરાતના ભાવિ શિક્ષકો પોતાની માગ સાથે આંદોલન કરી રહ્યા છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે. કરાર આધારિત ભરતીને લઈ અનેક વખત ઉમેદવારોએ એવી વાત પણ કહી છે કે નેતાઓને, પદાધિકારીઓને તેમજ નેતાઓને પણ કરાર પર રાખવા જોઈએ. તેમનું એવું પણ કહેવું છે કે જે શિક્ષકોનું પોતાનું ભવિષ્ય ઉજવળ નથી તે બાળકોના ભવિષ્યને કેવી રીતે ઉજવળ કેવી રીતે બનાવી શકે?


યુવરાજસિંહે વીડિયો કર્યો છે શેર      

આંદોલન કરી રહેલા ઉમેદવારોના સમર્થનમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ આવ્યા છે. અનેક વખત જ્ઞાન સહાયક મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. ત્યારે દિવાળીનો પર્વ ભાવિ શિક્ષકો માટે કેવો છે તેનો વીડિયો શેર કર્યો છે. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી વાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે ઉમેદવારોનું આ આંદોલન શું રંગ લાવે છે..  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.