YuvrajSinh Jadejaએ ટ્વિટ કરી ઊર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામની યાદી પાર્ટ -2! જાણો યાદીમાં કોના કોના નામનો છે સમાવેશ


  • Published By :
  • Published Date : 2023-08-12 16:23:53

યુવરાજસિંહ જાડેજા ફરી એક વખત એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે.  થોડા સમય પહેલા ડમી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવે તેનો ખુલાસો કર્યો હતો. ડમીકાંડ મામલે પોલીસે જાતે કાર્યવાહી હાથ ધરી હતી. અનેક લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે વધુ એક અપડેટ સાથે યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે ઘટસ્ફોટ કર્યો છે. યુવરાજસિંહે ઉર્જાકાંડ મામલે નવા નામોની યાદી જાહેર કરી છે. 

યુવરાજસિંહે ઉર્જા કૌભાંડમાં સામેલ લોકોના નામ જાહેર કર્યા! 

જેલમાંથી બહાર આવ્યા બાદ યુવરાજસિંહે જાણે ફરી કૌભાંડોને ઉજાગર કરવાનો દોર શરૂ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે. યુવરાજસિંહે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ફોટો શેર કર્યો છે જેમાં ઉર્જાકાંડમાં સામેલ લોકોના નામ ઉજાગર કર્યા છે. નામોની યાદી યુવરાજસિંહે બહાર પાડી છે. કોણે કેવી રીતે આ કૌભાંડને આચર્યું કોણે કેટલું કમિશન લીધું તે અંગેની ફોટામાં યુવરાજસિંહે માહિતી આપી છે. એક સમાચાર પત્રિકાનો ફોટો યુવરાજસિંહે શેર કર્યો છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.