Rajasthan Paper Leak મામલે PM Modiએ આપેલા નિવેદન પર Yuvrajsinhએ પૂછ્યા PMને પ્રશ્ન, કહ્યું : ગુજરાતમાં કેમ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં આવી જાય છે બીજેપીના નેતાઓ ??


  • Published By :
  • Published Date : 2023-10-03 10:33:48

રાજસ્થાનના પ્રવાસે ગઈકાલે પીએમ મોદી હતા. રાજસ્થાનમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં તેમણે અનેક વખત કોંગ્રેસની સરકાર પર પ્રહાર કર્યા. વિવિધ વિષયો પર તેમણે વાત કરી. પરંતુ સૌથી વધારે પેપરલીક માફિયાઓ માટે કરવામાં આવેલા નિવેદને લોકોનું ધ્યાન ખેંચ્યું. પેપરલીક માફિયાઓને પાતાળથી શોધવાની વાત પીએમ મોદીએ કરી. ત્યારે પીએમ મોદીના સંબોધન પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે સવાલ ઉઠાવ્યા છે. 

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી પેપરલીક માફિયાઓની વાત 

રાજસ્થાનમાં પીએમ મોદીએ યુવાનોના ભવિષ્યની વાત કરી હતી. યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે તેવું પીએમ મોદીએ પોતાના સંબોધનમાં થયું હતું. ત્યારે ગુજરાતમાં પણ અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેને કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય બગડી જાય છે. અનેક વખત પેપરફૂટવાની ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં પેપર ફોડનાર સામે પગલાં ક્યારે લેવામાં આવશે તેવી વાત, તેવા પ્રશ્નો યુવરાજસિંહ દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. 

યુવરાજસિંહે પીએમ મોદીને પૂછ્યા પ્રશ્ન 

સોશિયલ મીડિયા પર યુવરાજસિંહે પીએમ મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી હતી. એક વીડિયો તેમણે શેર કર્યો હતો જેમાં તેઓ પીએમ મોદીને પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ગુજરાતના યુવાનો પારકા છે?  રાજસ્થાનના પેપરલીક ઘટના દેખાય છે તો ગુજરાતની કેમ નહી ? રાજસ્થાન ભાજપ ઉપર ભરોસો રાખી યુવાનો પાસે આપ વોટ માંગી રહ્યા છો તો ગુજરાતમાં તો છેલ્લા ૩૦ વર્ષ થી યુવાનોએ ભાજપ ઉપર ભરોસો રાખ્યો છે ત્યારે આ જ *#ભરોસા_ની_ભેંસે_પાડો_જણ્યો* છે ત્યાં કેમ ચૂપ છો ? અનેક પ્રશ્નો પૂછી યુવરાજસિંહ જાડેજાએ સરકારને ઘેરવાનો તેમજ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. 



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.