Gyan Sahayak મુદ્દે સમાજને જાગૃત કરવા યુવાનોએ શરૂ કર્યું અભિયાન, ટ્વિટર પર ટ્રેન્ડ થયું #Boycott_Gyan_Sahayak


  • Published By :
  • Published Date : 2023-10-22 16:56:02

ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં ટેટ-ટાટ ઉમેદવારો વિરોધ પ્રદર્શનો, ધરણા અને આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતી નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત રહી રહ્યા છે. આ ઉમેદવારોએ આપના નેતા અને ધારાસભ્ય ચૈતર વસાવા અને યુવરાજ સિંહ જાડેજાના નેતૃત્વમાં દાંડી 2.0 યાત્રા પણ યોજી હતી. દાંડીથી નિકળેલી આ યાત્રાનું  ગત શુક્રવારે અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે સમાપન થયું તે પૂર્વે ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે 'AAP' દ્વારા 'યુવા અધિકાર સભા' નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ યુવાનો એ એક જ સુરમાં જ્ઞાન સહાયક યોજના બંધ કરવાની માગ કરી હતી. યુવા અધિકાર સભાને આપના નેતાઓ અને ઉમેદવારોએ સંબોધી હતી. આ દરમિયાન અવિસ્મરણીય દ્રશ્યો સર્જાયા હતા, સત્યાગ્રહ છાવણી 'જ્ઞાન સહાયક રદ્દ કરી, કાયમી ભરતી શરુ કરો' ના નારાથી ગુંજી ઉઠયું હતું. આજે પણ આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે એક વીડિયોના માધ્યમથી સમાજના અગ્રણીઓને જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરવાની હાકલ કરી હતી. આ મામલે યુવરાજને ટેટ-ટાટ ઉમેદવારોનું પણ જબરદસ્ત સમર્થન સાંપડ્યું હતું.


યુવરાજ સિંહે શું આહવાન કર્યું?

આપના નેતા યુવરાજ સિંહ જાડેજાએ એક વીડિયો સંદેશના માધ્યમથી વિવિધ સમાજના આગેવાનોને શિક્ષણ વ્યવસ્થાના ખાનગીકરણ અને જ્ઞાન સહાયક યોજના નામના કાળા કાયદાનો વિરોધ કરવાની અપીલ કરી હતી. તેમણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના વ્યાપારીકરણ, શિક્ષણના કથળતા સ્તર અને શિક્ષણ શ્રેત્રે શિક્ષકોની થઈ રહેલી કરાર અધારીત ભરતીનો વિરોધ કરવા માટે અવાજ ઉઠાવવાની હાકલ કરી હતી. તેમણે તમામ સમાજના મોભીઓને ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વ્યવસ્થાના થઈ રહેલા ચીરહરણનો વિરોધ કરવા સાથ, સહકાર અને સહયોગ આપવા માટે આહવાન કર્યું હતું. 


ઉમેદવારોએ શરૂ કર્યું સમાજ જાગૃતિ અભિયાન 


યુવરાજ સિંહ જાડેજાની  જેમ ટેટ-ટાટ ઉમેદવારોએ પણ તેમના સમાજના આગેવાને જ્ઞાન સહાયક યોજના અને શિક્ષણના ખાનગીકરણના વિરોધમાં જોડાવા માટે અપીલ કરવા વિનંતી કરી હતી.  ટેટ-ટાટ ઉમેદવારોએ તેમના સમાજના સમર્થન અને સાથ સહકાર માટે તથા આ મુદ્દે સમાજને જાગૃત કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી અભિયાન શરૂ કર્યું છે. આ યુવક-યુવતીઓએ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના વીડિયો મારફતે તેમના સમાજના અગ્રણીઓને આ મુદ્દે આગળ આવવાની ભાવભીની અપીલ કરી પણ કરી  હતી. હાલ સોશિયલ મીડિયા પર #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ગુજરાતમાં જબરજસ્ત રીતે  ટ્રેન્ડ થઈ રહ્યું છે.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!