યુવરાજસિંહ હાજીર હો.... ભાવનગર એસઓજીના સમન્સ બાદ પોલીસ સમક્ષ હાજર થશે યુવરાજસિંહ!


  • Published By :
  • Published Date : 2023-04-21 10:04:46

ડમી કાંડ મામલે રોજે નવા ખુલાસા થઈ રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે થોડા સમય પહેલા પરીક્ષાઓમાં ડમી ઉમેદવાર બેસતા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. ત્યારે આ મામલે ભાવનગર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે અનેક આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે તપાસ ચાલી રહી છે. બધા વચ્ચે યુવરાજસિંહને એસઓજીએ હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તે હાજર રહ્યા ન હતા. 


આજે યુવરાજસિંહ એસઓજી સમક્ષ થશે હાજર!

19 એપ્રિલે હાજર થવા યુવરાજસિંહને પહેલું સમન્સ પાઠવવામાં આવ્યું હતું. બપોરના બાર વાગ્યા સુધીનો સમય તેમને આપવામાં આવ્યો હતો. પરંતુ એકાએક તેમની તબિયત બગડી જતા તે હાજર થયા ન હતા. જે બાદ યુવરાજસિંહની પત્નીએ ટ્વિટ કરી જેમાં તેમણે પોલીસ પાસે દસ દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ પોલીસે યુવરાજસિંહને બીજું સમન્સ પાઠવ્યું હતું અને 21 એપ્રિલે બાર વાગ્યા પહેલા હાજર થવા કહેવામાં આવ્યું હતું. ત્યારે આજે ભાવનગરમાં આર કે પાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 

બિપીન ત્રિવેદીનો વીડિયો થયો હતો વાયરલ 

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ ચર્ચામાં રહ્યા છે. ડમી ઉમેદવારોનો જ્યારથી ખુલાસો થયો છે ત્યારથી આ મામલે અનેક ઘટસ્ફોટ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડમી કાંડ મામલામાં નામ સાથે યુવરાજસિંહે અનેક લોકોનો ઉલ્લેખ કર્યો હતો. જે બાદ ભાવનગર પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી. 36 જેટલા આરોપી વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે એસઆઈટીની રચના પણ કરાઈ હતી અને આ મામલે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે યુવરાજસિંહ પર પૈસા લેવાના આરોપો બિપીન ત્રિવેદી નામના વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યા હતા. બિપીન ત્રિવેદીનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમણે આક્ષેપ લગાવ્યા હતા.


તબિયત બગડતા યુવરાજસિંહ હાજર ન રહ્યા હતા!  

બિપીન ત્રિવેદીને પોલીસે ઝડપી પાડ્યો હતો. જે બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. વાત પણ સાચી પડી. ભાવનગર એસઓજી દ્વારા યુવરાજસિંહને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. 19 એપ્રિલે તેમને પોલીસ સમક્ષ હાજર રહેવાનું હતું પરંતુ અચાનક તેમની તબિયત બગડી જતા તેઓ હાજર રહ્યા ન હતા. ત્યારે આ અંગે અનેક તર્ક-વિર્તકો ઉભા થતા હતા કે શું યુવરાજસિંહને ધરપકડની બીક લાગી રહી છે. તેમના ફોન પણ બંધ આવતા હતા.

મોટા ઘટસ્ફોટ કરવાની યુવરાજસિંહે કરી વાત! 

જે બાદ યુવરાજસિંહના પત્ની દ્વારા ટ્વિટર કરવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહ માટે હાજર થવા માટેનો સમય માગ્યો હતો. પરંતુ બીજી વખત પોલીસે યુવરાજસિંહને સમન્સ પાઠવ્યું હતું. અને 21 એપ્રિલે પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવા હાજર થવાનું સમન્સ પાઠવ્યું છે. 12 વાગ્યા પહેલા તેમને હાજર રહેવા માટે કહ્યું છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે ગઈકાલે પત્રકાર પરિષદ કરી હતી અને આવનાર દિવસોમાં અનેક મોટા ખુલાસા થવાના છે તેવી વાત યુવરાજસિંહે કરી હતી. ત્યારે મળતી માહિતી અનુસાર યુવરાજસિંહ આજે પણ પત્રકાર પરિષદ કરવાના છે. યુવરાજસિંહ હાલ લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે.  



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.