યુવરાજસિંહનું સ્ફોટક નિવેદન 'ધર્મયુધ્ધ હજુ શરૂ થયું છે, આ તો હજુ અલ્પવિરામ, પૂર્ણવિરામ બાકી છે'


  • Published By :
  • Published Date : 2023-05-01 16:37:49

સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દેનારા ભાવનગર ડમી ઉમેદવાર કાંડ અને તોડકાંડ પ્રકરણમાં એક કરોડની ખંડણી ઉઘરાવવાના કેસમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને તેના બે સાળા સહિત 6 શખ્સો સામે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પોલીસે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડની માંગ કરી હતી જો કે કોર્ટે તેમના તેમના જામીન નામંજુર કરતા કોર્ટે તેમને જેલમાં મોકલી આપ્યા છે.


યુવરાજ સિંહ જેલ હવાલે

 

એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જેલ હવાલે કરવાનો ભાવનગર કોર્ટે હુકમ કર્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો હતો. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલને અને અલ્ફાઝ ઉર્ફે રાજુ પઠાણને પણ જેલ હવાલે કરવામાં આવ્યો છે. તેમને લઇ પોલીસ દ્વારા જિલ્લા જેલ ખાતે હાજર કરવામાં આવ્યા છે.


આ તો હજુ શરૂઆત છે: યુવરાજ સિંહ


ભાવનગર તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહને આજે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં લઈ જતા પહેલા યુવરાજ સિંહે મીડિયા સમક્ષ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે આ તો માત્ર હજુ એક શરૂઆત છે, અંત હજુ બાકી છે. આ તો હજુ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથી. વધુમાં તેમણે કહ્યું કે સમય જવા દો, પાંચ પાંડવો આવશે અને બીજું પણ ઘણું સામે આવશે.


અત્યાર સુધી 84 લાખ રિકવર


ભાવનગર તોડકાંડ મામલે પોલીસે યુવરાજ સિંહના સાળા શિવુભા પાસેથ રૂ. 7.50 લાખ કબજે કર્યા છે. આ તોડકાંડ કેસમાં પોલીસે અત્યાર સુધી 84 લાખ જેટલી રકમ રિકવર કરી છે. આ મામલે પોલીસે યુવરાજ સિંહની સાથે તેમના સાળા કાનભા ગોહિલ તેમજ તોડકાંડમાં છઠ્ઠા આરોપી અલ્ફાઝખાન પઠાણ ઉર્ફે રાજુની ધરપકડ ઉર્ફે રાજુને પણ કોર્ટમાં રજૂ કર્યા હતા.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.