યુવરાજ સિંહ જાડેજાએ ડમી કાંડ મામલે તેમના પર લાગેલા આરોપો અંગે કર્યો મોટો ખુલાસો, જાણો તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-04-20 20:13:17

રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા ડમી ઉમેદવાર કાંડને લઈ જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા. પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહ જાડેજાએ તેમના પર લાગેલા આરોપોના જવાબ આપ્યા હતા અને આ મામલે મોટા ઘટસ્ફોટ કર્યા હતા.


યુવરાજસિંહે શું કહ્યું?


ડમી ઉમેદવાર કાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મારા પર આક્ષેપો નામ છુપાવવાના લાગી રહ્યા છે, ડમી કાંડમાં બે નામ મારી પાસે હતી તે જાહેર કરું છું. ઋષિ અરવિંદ બારૈયાએ પી.કે. ઉર્ફે પ્રકાશ દવેના કહેવાથી ધોરણ 12ની કોમર્સની પરીક્ષા અમરેલીની તુની વિદ્યામંદિર સ્કૂલમાં આપી હતી. દર્શન ભરતભાઈ બારૈયાએ પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. તેમજ દર્શન બારૈયાએ અન્ય વિદ્યાર્થીની જગ્યાએ પરીક્ષા આપી હતી. દર્શન બારૈયા કોની પરીક્ષા આપવા જતો હતો એની અમે પુષ્ટિ કરતા નથી. ઋષિના માતાએ ખોળો પાથરીને વિનંતી કરી હતી કે, એટલે માનવતાના ધોરણે નામ જાહેર નહોતું કર્યું. મેં જાહેર કરેલો ઋષિનો વિડિયો ગામના સરપંચ અને પંચની હાજરીમાં તેણે આપેલી કબૂલાતનો વિડિયો છે. 


ભાવનગર પોલીસ સમક્ષ હાજર થશે


પત્રકાર પરિષદમાં યુવરાજ સિંહે વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે મને ભાવનગર પોલીસનું સમન્સ મળ્યું છે, તેમાં હું હાજર રહીશ. યુવરાજસિંહે વધુમાં કહ્યું કે ભૂતકાળમાં પોલીસે હાથ ચાલાકી કરી છે, આશા રાખીએ કે પોલીસ આ વખતે એવું નહિ કરે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, આવતીકાલે મોટા નેતા અને મંત્રીઓના નામ જાહેર કરીશ. ભાવનગર SIT સમક્ષ નેતાઓ અને મંત્રીઓના નામ જાહેર કરીશ. મંત્રી અને નેતાઓના પણ નિવેદન લેવાવા જોઇએ.  મને ડિનર માટે બોલાવવામાં આવ્યો હતો. ગઈકાલે ચક્કર આવ્યા અને મૂર્છા આવી જતા SOG સમક્ષ હાજર થઈ શક્યો નહોતો.


મારા પરિવારને મળી રહી છે ધમકીઓ


ડમીકાંડ મામલે યુવરાજસિંહે દાવો કર્યો હતો કે મારી પાસે 17 વીડિયો છે અને તમામ આધાર પુરાવા છે. ડમીકાંડમાં માત્ર 36 નામ જ નથી મારી પાસે 136 નામો આપવાની તાકાત છે. નેતાઓ, મંત્રીઓ, અધિકારીઓની પણ સંડોવણી છે. આ કૌભાંડ 2011થી નહીં 2004થી ચાલી રહ્યું છે. પોલીસ રાજકીય હાથો બનીને પ્રતાડિત કરશે તો સાંખી લેવામાં નહીં આવે. મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસના તમામ સવાલોના જવાબ આપીશ. જો કે તેમણે  તેમ પણ કહ્યું અમને ધમકીઓ પણ મળી છે. યુવરાજસિંહે કહ્યું હતું કે મારા પરિવારને અકસ્માતમાં ઉડાવી દેવાની ધમકી અપાઈ રહી છે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!