પરષોત્તમ રૂપાલા - ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુવરાજસિંહે સ્કેચ કર્યો શેર. સ્કેચ શેર કરતા લખ્યું....


  • Published By :
  • Published Date : 2024-04-06 16:50:35

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થઈ રહ્યો છે.. ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. રાજકોટ ખાતે આજે મહારેલીનું આયોજન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો ત્યાં આવી પહોંચ્યા છે. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે. યુવરાજસિંહે સ્કેચ શેર કરતા લખ્યું કે પોરબંદરના આર્ટિસ્ટ કરશનભાઈ ઓડેદરા દ્વારા આજની સ્થિતિને લઈ સુંદર સ્કેચ બનાવવામાં આવ્યો..

યુવરાજસિંહ જાડેજાએ સ્કેચ કર્યો શેર... 

ભારતીય જનતા પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે પરષોત્તમ રૂપાલાની પસંદગી કરી છે.  ક્ષત્રિય સમાજને લઈ પરષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ રોષે ભરાયેલો છે અને જ માગ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટને રદ્દ કરવામાં આવે. અનેક જગ્યાઓ પર પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કરણીસેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદ આવ્યા છે, પરંતુ તેમની અટકાયત કરી લેવામાં આવી. આ બધા વચ્ચે યુવરાજસિંહ જાડેજાએ એક સ્કેચ શેર કર્યું છે... ત્યારે આ સ્કેચ પર તમારૂં શું માનવું છે અમને કમેન્ટમાં કહો..  



આજના સમયમાં સોશ્યિલ મીડિયાનું ઘેલું લોકોને કેટલું લાગ્યું છે તે આ કિસ્સા પરથી ખબર પડશે . યુવક પોતાના ઓછા ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સ સાથે ખુબ નિરાશ હતો . આ કારણ હતું કે તેણે ઝેર પીને આપઘાતનો પ્રયાસ કર્યો.

ભારતના એક બિઝનેસવુમેનની અલાસ્કાના એરપોર્ટ પર ખુબ રીતે એફબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી છે. આટલુંજ નહિ અગાઉ ન્યુયોર્ક એરપોર્ટ પર આવી જ હરકત ભારતના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ એ પી જે અબ્દુલ કલામ સાથે કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી દુનિયાભરના શેરમાર્કેટમાં ગિરાવટ આવી છે સાથે જ યુરોપના નાનકડા દેશ લક્ઝમબર્ગમાં યુરોપીઅન યુનિયનના બધા જ નાણાં મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી . આ બાજુ કેનેડામાં ૨૮મી એપ્રિલના રોજ ત્યાં ફેડરલ ઈલેક્શન છે તેમાં વર્તમાન પીએમ માર્ક કારની તમામ સર્વેમાં આગળ ચાલી રહ્યા છે.

રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે પોલીસ લખેલી કાર અને બાઈક રસ્તા પર જઈ રહ્યાં હતા. બાઈક સવાર આગળ હતો અને પોલીસ લખેલી કાર પાછળ હતી. ફુલ નશાની હાલતમાં હતો પોલીસ કોન્સ્ટેબલ અને એટલે કાર બાઈક સાથે ટકરાઈ. શાસ્ત્રીનગર પાસે નાના મવા રોડ પર યુવકના બાઈક સાથે કાર ટકરાઈ એટલે એણે એવું કહ્યું કે ધ્યાનથી ગાડી ચલાવો. તો પોલીસ કોન્સ્ટેબલનો પિત્તો ગયો. એમણે લાકડી હાથમાં લીધી અને અને યુવકો પર કરી દીધો હુમલો.