યુવરાજસિંહનું છલકાઈ આવ્યું દર્દ! જાણો કઈ વાતને કારણે યુવરાજસિંહ ચાલું લાઈવમાં રડી પડયા...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-13 16:47:05

થોડા સમયથી યુવરાજસિંહ અનેક ઘટસ્ફોટ કરતા આવ્યા છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસવાનો મામલો હોય કે પછી પેપર ફૂટવાનો મામલો હોય આવા અનેક મુદ્દાઓ પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ખુલીને બોલ્યા છે. શિક્ષણ ક્ષેત્રમાં રહેલી ખામીઓ તેમજ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટવા અંગે વાતો કરવા અનેક વખત મીડિયા સમક્ષ યુવરાજસિંહ બોલ્યા છે.


 


પરિવારને હેરાન કરાતા હોવાનો યુવરાજસિંહનો આરોપ!

ત્યારે ગઈકાલે યુવરાજસિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ કર્યું હતું. જેમાં તેમણે પોતાની વેદના ઠાલવી હતી. અનેક વખત એવું કહીને ભાવુક થયા હતા કે મારા પરિવારને ખોટી રીતના હેરાન કરવામાં આવી રહ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે અનેક વખત તેમને ખોટી રીતે ફસાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. જે બાદ જમાવટની ટીમે તેમનો સંપર્ક કર્યો હતો અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે તે કયા વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા.  


પૂર્વમંત્રી પર યુવરાજસિંહે સાધ્યું નિશાન!

યુવરાજસિંહે પૂર્વમંત્રી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'અનેક વખત તેમને રોકવા માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. ફસાવવા અનેક ખોટા પુરાવાઓ ઉભા કરવામાં આવ્યા છે. અનેક કાવાદાવા કરવામાં આવ્યા છે. બદનામ કરવા સામ, દામ,દંડ ભેદની નીતિ અપનાવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આવનાર દિવસોમાં નામ સાથે એક એકને ખુલ્લા પાડવામાં આવશે. જેમણે મને ખોટી રીતે ફસાવવા, ધમકાવવાનો પ્રયાસ કર્યો છે હું નહીં છોડું. તેમણે કહ્યું હતું કે જે રીતે ફેમિલીને હેરાન કરે છે, હું કંટાળી ગયો છું. સિંહ પર ઘા કરી લેજે, સિંહના બચ્ચાને કે તેના પરિવારને નુકસાન થશે તો હું છોડીશ નહીં. હશે તમારા રાજકીય છેડા, રાજકારણમાં હશો. તમારૂં મંત્રી પદ તમારા કર્મોને કારણે ગયું છે. તમે હજારો વ્યક્તિઓની હાય લીધી છે. તમારા કર્મ ખોટા હતા, તમારા ધંધા ખોટા હતા એના કારણે તમારૂ પદ ગયું છે.'   



ગુજરાત ચેમ્બર ઓફ કોર્મસ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે GCCI અને ન્યુઝીલેન્ડ ભારત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી એટલે કે NZBCCI વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ન્યુઝીલેન્ડના નાયબ પ્રધાનમંત્રી વિન્સ્ટન પીટર્સ પણ ઓનલાઈન ઉપસ્થિત રહ્યા હતા.. NZBCCIના ચેરમેન તરીકે GCCIના સુધાંશુ મહેતાની નિમણૂક કરવામાં આવી છે..

જ્યારે સહારો જોઈ તો હોય ત્યારે લોકો સહારો નહીં માત્ર વાતો કરતા હોય છે.. જૂઠ્ઠા દિલાસાઓ આપતા હોય છે કે અમે તમારી સાથે છીએ.. પરંતુ વાસ્તવિક્તામાં એ આપણને મદદ નથી કરતા.. અનેક કિનારાઓ એવા હોય છે જે આપણને પસંદ નથી હોતા.

એક મંદિર જ્યાં લાખો-કરોડો ભક્તો દર્શન કરે છે...દુનિયાભરના લોકોની આસ્થાનું કેન્દ્ર છે... જ્યાં પ્રભુના સન્મુખ થવા માટે પણ કલાકો નીકળી જાય છે... ધર્મસ્થાનોમાં ઇશ્વરની પૂજા-અર્ચના બાદ પ્રસાદનો પણ અનેરો મહિમા હોય છે. પ્રસાદને લોકો ખૂબ જ પ્રેમભાવથી ગ્રહણ કરતા હોય છે

રાજ્યમાં ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, જેને કારણે એવું લાગતું હતું કે ચોમાસાની વિદાય થઈ ગઈ છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે... ફરી એક વખત રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે..