બ્રેકિંગ ન્યુઝ! યુવરાજ સિંહ સામે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુનો દાખલ


  • Published By :
  • Published Date : 2023-04-21 22:33:44

ડમી ઉમેદવાર કાંડ મામલે આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સામે આખરે ભાવનગરના નિલમ બાગ પોલીસ સ્ટેશનમાં પોલીસે ખંડણીનો ગુનો દાખલ કર્યો છે. ડમી ઉમેદવાર કાંડ મામલે યુવરાજ સિંહ આજે ભાવનગર SOG સમક્ષ પૂછપરછ માટે હાજર થયા હતા. ભાવનગર  SoG અને SITની દ્વારા યુવરાજ સિંહની આખો દિવસ પૂછપરછ કરવામાં આવ્યા બાદ પોલીસે તેમની ધરપકડ કરી હતી. આ સમગ્ર મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે પત્રકાર પરીષદ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી ઉમેદવાર કાંડ મામલે તોડ કરવાના આરોપ હેઠળ પોલીસે પાઠવ્યું સમન્સ હતું. 


શું કહ્યું ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે?


ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર રેન્જ IG ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજ સિંહ તથા અન્યો સામે IPCની  કલમ 386, 388, 120B હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસને યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV,ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા છે.  યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.  યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપ્યા હતા. યુવરાજસિંહ અને તેમના માણસોએ ઋષિ બારૈયા નામના એક ડમી વિદ્યાર્થીનો વીડિયો બનાવ્યો હતો, અને તે વીડિયોનો ડર પ્રકાશ દવેને બતાવી તેનું નામ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નહીં લેવા પેટે બળજબરી અને ધાક ધમકીથી રૂપિયા 45 લાખ પડાવી લીધાની હકીકત સામે આવી. યુવરાજસિંહે પોતાની પ્રેસ કોન્ફરન્સમાં નામ નહીં લેવા માટે પ્રદીપ બારૈયા નામના વ્યકિત પાસેથી યુવરાજસિંહ તથા તેના માણસોએ 55 લાખ રૂપિયા લીધા હોવાની વિગત સામે આવતા તેમના પણ પુરાવાઓ મેળવાયા છે. 30 માર્ચે પ્રદીપ બારૈયા, જીગાદાદા, ઘનશ્યામ લાંધવા, બિપિન ત્રિવેદી, યુવરાજસિંહ, તેના બંન્ને સાળા શિવુભા અને કાનભા અને રાજુભાઇ આ મીટિંગમાં પણ હાજર હતા.


કોની સામે ગુનો નોંધાયો?


યુવરાજ સિંહ અનિરૂધ્ધ સિંહ જાડેજા, શિવુભા,કાનભા, ઘનશ્યામ મહાશંકર ભાઈ લાધવા જોષી, બીપીન પોપટભાઈ ત્રિવેદી રમણા, રાજુભાઈ (જેનું પુરૂ નામ સરનામુ જાણવા મળી નથી)


અગાઉ 8 આરોપીની અટકાયત કરાઈ


શરદ પનોત

પ્રકાશ ઉર્ફે પી.કે. દવે

બળદેવ રમેશભાઈ રાઠોડ

પ્રદીપ નંદલાલભાઈ બારૈયા

સંજય હરજીભાઈ પંડ્યા

અક્ષર રમેશભાઈ બારૈયા

મિલન બારૈયા

વિરમદેવસિંહ ગોહિલ                                                                                                                         



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .