ભાવનગર તોડકાંડ: યુવરાજ સિંહના સાળા શિવુભાના મિત્ર પાસેથી મળ્યા રૂ. 25.50 લાખ રોકડા


  • Published By :
  • Published Date : 2023-04-25 21:44:04

તોડકાંડ મામલે દરરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ હાલ યુવરાજસિંહ અને તેમના મળતીયાઓ સામે જ તપાસ ચલાવી રહી છે. આ તપાસમાં અવનવા ઘટસ્ફોટ થતા જોવા મળે છે. જેમ કે આજે યુવરાજ સિંહના સાળા શિવભદ્રસિંહ ગોહિલે (શિવુભા)એ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. હવે તેમના એક મિત્ર પાસેથી પોલીસે રૂ. 25,50,000 કબ્જે કર્યા છે.


મિત્રએ રૂપિયા હોવાની કરી કબુલાત


ભાવનગર પોલીસના જણાવ્યા પ્રમાણે શિવુભાના મિત્ર સંજય ખીમજી જેઠવાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેણે પોલીસ સ્ટેશન આવીને જણાવ્યું હતું કે તેમના મિત્ર શિવુભા ગોહિલ થોડા દિવસો પહેલા તેના ઘરે આવ્યા હતા અને એક થેલો તેમને રાખવા માટે આપ્યો હતો. અને કહ્યું હતું કે તે સાચવીને રાખજે અને હું આવું ત્યારે તે મને પરત આપી દેજે" પોલીસે તે થેલો સરકારી પંચોની હાજરીમાં ખોલ્યો હતો તેમાંથી રોકડ મળી આવી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા.


નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક મળી


નાણા ઉપરાંત આ થેલામાંથી પોલીસને એક હાર્ડ ડિસ્ક પણ મળી આવી છે. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSLને મોકલી આપવામાં આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા તપાસ કરતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.