PSI ભરતીને લઈ યુવરાજ સિંહનો મોટો ઘડાકો, PSIની ટ્રેનિંગ લઈ રહેલા યુવાનનો ભાંડો ફોડ્યો


  • Published By :
  • Published Date : 2023-02-27 15:24:47

આમ આદમી પાર્ટીના નેતા અને જાણીતા વિદ્યાર્થી આગેવાન યુવરાજ સિંહ જાડેજા સરકારી ભરતીઓમાં ચાલતી ગેરરીતિઓને સતત બહાર લાવતા રહે છે. આજે યુવરાજ સિંહે યોજેલી એક પ્રેસ કોન્ફરર્ન્સમાં PSIની ટ્રેનિંગ લઈ રહેલા એક યુવાનનો ભાંડો ફોડ્યો છે. મયુર તડવી નામનો આ યુવાન કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર જ કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે.


યુવરાજ સિંહે શું આરોપ લગાવ્યો


યુવરાજ સિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં આરોપ લગાવતા કહ્યું કે મયૂર તડવી નામના યુવાનનું ફીઝીકલમાં કે ફાઈનલ રીઝલ્ટમાં નામ નથી. તેમ છતાં પણ તે કરાઈ પોલીસ એકેડેમીમાં હાલ PSIની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજ સિંહે સવાલ ઉઠાવ્યો કે આ ભાઈ પોલીસ ટ્રેઈનિંગ સેન્ટર સુધી કેવી રીતે પહોંચ્યો?, ટ્રેઈનિંગ પહેલા કરાઈ પોલીસ એકેડેમીમાં તેના ડોક્યુમેન્ટ વેરિફાય કેમ ન કરવામાં આવ્યા?, આ ભરતી કૌંભાડ પાછળ  યુવરાજ સિંહએ ઉચ્ચ અધિકારીઓ અને બિરસા મુંડા ભવનની મિલીભગતનો આરોપ લગાવ્યો છે, વળી આ યુવાન એક મહિનાથી પગાર લઈ રહ્યો છે.


પોલીસ એકેડેમીમાં ધુપ્પલ ચાલે છે?


યુવરાજ સિંહ જાડેજાએ કરાઈ પોલીસ એકેડેમીને પણ નિશાન બનાવી છે. તેમણે કરાઈ એકેડેમીમાં ચાલી રહેલી ગેરરીતીઓ પર સીધો સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે પોલીસ ટ્રેઈનિંગમાં મયૂર તડવીને ચેસ્ટ નંબર આપવામાં આવ્યો છે. કરાઈ એકેડેમી ટ્રેઈનિંગ સેન્ટરમાં મયૂર લાલજીભાઈ તડવીનો ચેસ્ટ નંબર 140 છે. મયૂર લાલજીભાઈ તડવી હાલ કરાઈ ટ્રેઈનિંગ સેન્ટરમાં તાલીમ લઈ રહ્યા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.