યુવરાજસિંહ જાડેજા પર લાગ્યો પૈસા લેવાનો આરોપ! ડમી વિદ્યાર્થી મુદ્દે નામ ન લેવા યુવરાજસિંહે લીધા લાખો રૂપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-15 14:37:21

ડમી વિદ્યાર્થી મામલે યુવરાજસિંહ દ્વારા થોડા સમય પહેલા મોટો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. અનેક લોકોના નામની જાહેરાત યુવરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ મામલો યુવરાજસિંહ સુધી પહોંચ્યો છે. યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે આ મામલે મુખ્યસૂત્રધાર યુવરાજસિંહ હોય તેવા આરોપો લગાવવામાં આવ્યા છે. ઉપરાંત એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે યુવરાજસિંહે નામ નહીં લેવાની શરતે લાખો રૂપિયા લીધા છે.

     


નામ છુપાવવા યુવરાજસિંહે લીધા લાખો રુપિયા!

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપ બિપીન ત્રિવેદી નામના એક વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ આરોપ તેમના જૂના સાથી બિપીન ત્રિવેદી દ્વારા લગાવવામાં આવ્યો છે. બિપીન ત્રિવેદીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તે કહી રહ્યો છે તેમણે યુવરાજસિંહ પર આરોપો લગાવ્યા છે. તે વીડિયો મુજબ ડમી કાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રૂપિયા રુપિયા લીધા છે. 


યુવરાજસિંહે આ વીડિયો અંગે આપી પ્રતિક્રિયા 

આ મામલે યુવરાજસિંહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકીય વ્યક્તિનું કદ, મંત્રી પદ ગયું તે મારા કારણે ગયું છે તેવું તેને લાગે છે. તે ગમે તેમ કરીને યુવરાજને ફસાવશે, તે રાજકીય દાવપેચનો રાજકીય જવાબ આપવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે મને 2 કરોડ સુધીની ઓફરો આપી છે. પણ હું છોડીશ નહી. લડી લેવા તૈયાર જ છીએ. બિપિન ત્રિવેદી અંગે તેમણે કહ્યું કે હું આ બિપિન ત્રિવેદીને જાણું છું. તે વ્યક્તિની બુકને લઈને અગાઉ મળવાનું થયું હતું. પણ હવે તે તેમના સામાજીક સાથે સાથે રાજકીય ષડયંત્ર છે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.