યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ, AAP નેતાએ જમાવટને શું કહ્યું? જાણો


  • Published By :
  • Published Date : 2023-08-27 16:32:06

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળે તો નવાઈ નહીં. ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. શક્તિ સિંહ ગોહિલ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા પછી પાર્ટીમાં ભરતી અભિયાન તેજ બન્યું છે. આજે આપ નેતા અને જાણીતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાની કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાથેની મુલાકાતની તસવીરો સામે આવતા રાજકારણ ગરમાયું છે. યુવરાજ સિંહ જાડેજા કાંઈક નવાજુની કરશે તેને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે.


યુવરાજસિંહે આ વાતનો કર્યો ઈન્કાર

 

26 ઓગસ્ટે યુવરાજસિંહ જાડેજાનો બનાસકાંઠાના થરાદ ખાતે કાર્યક્રમ હતો જેમાં તે યુવાનોના પ્રશ્નો મુદ્દે વાત કરી રહ્યા હતા અને યુવાનોના પરીક્ષા લગતા જેટલા મુદ્દા હોય તે કેવી રીતે નિકાલ કરી શકાય તેની વાત કરી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ  બાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસના નેતાઓ સાથે ભોજન પણ લીધું હતું. આ મુલાકાતથી યુવરાજસિંહ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. કોંગ્રેસના બંને નેતાઓ હાજર હોવાના કારણે એવી વાતો થવા લાગી કે યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસમાં જોડાશે આ સમગ્ર મામલે સત્યતા શું છે એ જાણવા માટે જમાવટે યુવરાજસિંહ જાડેજા સાથે ફોન પર વાત કરી તો તેમણે આ વાતનો ઈન્કાર કર્યો હતો. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.