પુરાવા સાથે યુવરાજસિંહ નવું કૌભાંડ લઈને આવ્યા સામે, કહ્યું "પરીક્ષા બીજો આપે અને નોકરી બીજો કરે... આ વળી કેવી સિસ્ટમ?"


  • Published By :
  • Published Date : 2023-04-05 14:13:17

છેલ્લા ઘણા સમયથી યુવરાજસિંહ વિદ્યાર્થીઓના મુદ્દાઓને લઈ અનેક ઘટસ્ફોટ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જુનિયર ક્લાર્ક પેપર ફૂટ્યા હોવાની માહિતી યુવરાજસિંહ લઈને આવ્યા હતા. જે બાદ કોમ્પ્યુટર પેપર ફૂ્ટ્યાની માહિતી લઈને યુવરાજસિંહ આવ્યા હતા. અનેક વાતોનો ઘટસ્ફોટ યુવરાજસિંહ પુરાવા સાથે કરતા હોય છે. .ત્યારે આજે ફરી એક વખત યુવરાજસિંહે ઘટસ્ફોટ કર્યો છે જેમાં તેમણે આક્ષેપ લગાવ્યો છે. 


પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસતા હોવાનો યુવરાજસિંહનો આક્ષેપ  

પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે. તેમના દાવા મુજબ ન માત્ર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓ બેસે છે પરંતુ બોર્ડની પરીક્ષામાં પણ ડમી વિદ્યાર્થીઓ બેસી પરીક્ષા આપે છે. યુવરાજ સિંહે પૂરાવા સાથે ઉપરાંત નામ સાથે આરોપો લગાવ્યા છે. ભાવનગરના તળાજા પંથક અને શિહોર પંથકના ગામડાઓમાં આવું થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. 


નામ સાથે યુવરાજસિંહે આ વ્યક્તિઓ પર લગાવ્યા આક્ષેપ!   

યુવરાજસિંહના દાવા મૂજબ ક્લાસ-3, 2021-22માં ભાવેશભાઈ રમેશભાઈ જેઠવાની જગ્યાએ મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. Laboratory Technician 2021-22ની પરીક્ષામાં કવિતકુમાર નીતિનભાઈ રાવની બદલીમાં મીલન ઘૂઘાભાઈએ પરીક્ષા આપી હતી. તે ઉપરાંત ક્લાસ-3, 2021-22માં અંકિત નરેન્દ્રભાઈ લકુમની જગ્યાએ વિમલે પરીક્ષા આપી હતી અને ક્લાસ -3, 2021-22માં જયદીપભાઈ વાલજીભાઇ રમણાની જગ્યાએ કલ્પેશ પંડ્યાએ પરીક્ષા આપી હતી. 


સરકાર પાસે યુવરાજસિંહે કરી આ માગ 

વધતી ગેરરીતીને જોતા સરકાર પાસે યુવરાજસિંહે માગણી કરી છે કે તમામ વિદ્યાર્થીઓને ક્રોસ ચેક કરવામાં આવે અને તેમની સાથે સાથે તેમના એજન્ટોને પણ પકડવામાં આવે. તેમણે એવી પણ માગણી કરી હતી 2016 પછીની તમામ ભરતીમાં પાસ થયેલા ઉમેદવારોને ક્રોસ ચેક કરવામાં આવે.    




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.