ભાવનગર યુનિવર્સિટીની ગઈ કાલે લેવાયેલી એકાઉન્ટ્સની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો યુવરાજ સિંહનો દાવો


  • Published By :
  • Published Date : 2023-04-02 18:00:05

ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી (MKBU)ની  FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||)ની પરીક્ષાનું પેપર લીક થયું હતું. ગઈ કાલે 3.30થી 6.30 વચ્ચે પરીક્ષા યોજાઈ તે પહેલાથી જ એટલે કે ત્રણ વાગ્યાથી પરીક્ષાનું પેપર બહાર આવી જતા હાહાકાર મચી ગયો છે. જાણીતા વિદ્યાર્થી આગેવાન અને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પેપર લીક મુદ્દે સરકાર પર આરોપ લગાવ્યો છે.


યુવરાજ સિંહે કર્યો આક્ષેપ


યુવરાજ સિંહ જાડેજાના દાવા પ્રમાણે તેમને આ માહિતી એક જાગૃત વિદ્યાર્થી પાસેથી મળી હતી. આ પેપર પરીક્ષા અગાઉ વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું. યુવરાજ સિંહ જાડેજા દ્વારા પેપર લીક થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. યુવરાજ સિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે "પેપર તે જ હતું જે કોલેજમાં પૂછાયું હતું, પરંતુ પેપર સૌપ્રથમ કયા ઇરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારા જોડે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણા ચોંકાવનારા ખુલાસા થઈ શકે, જ્યાં પણ જરૂર પડશે ત્યાં નાગરિક અને નૈતિક ફરજના ભાગરૂપે જરૂરી માહિતી આપવા માટે હું બંધાયેલ જવાબદાર નાગરિક છું. આની સાચી અને યોગ્ય તપાસ થવી જરુરી છે."






21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.