ડમી કાંડ મુદ્દે પૈસા લેવાના આક્ષેપો વચ્ચે યુવરાજસિંહે સરકારને પૂછ્યા સવાલ, જાણો કયા વિભાગમાં કૌભાંડ અંગે કરી યુવરાજસિંહે વાત


  • Published By :
  • Published Date : 2023-04-17 15:15:26

થોડા સમય પહેલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાની વાત પૂરાવા સાથે યુવરાજસિંહે રજૂ કરી હતી. આ મામલે ભાવનગર પોલીસ દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે. 36 આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે અને એ મામલે ચાર જેટલા લોકોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ત્યારે આ મામલે યુવરાજસિંહે સરકારને આકરા સવાલ પૂછ્યા છે. અનેક વખત સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે યુવરાજસિંહે સરકારને પૂછ્યું છે કે 12 વર્ષ સુધી સરકારે કેટલા રુપિયા ખાધા છે? તે ઉપરાંત એવું પણ કહ્યું કે હજુ વનવિભાગ અને યુનિવર્સિટીના કૌભાંડો સામે આવશે.        

સિસ્ટમમાંથી સડો દૂર કરવા યુવરાજસિંહનો પ્રયત્ન!  

યુવરાજસિંહે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે સરકાર તમારી, કાઈ એકેડેમી તમારી કોઈ વ્યક્તિ ઘૂસી જાય છે. આધાર પૂરાવા આપીએ છીએ. કારણ કે સિસ્ટમનો સડો દૂર કરવો છે. આ કારણે પાર્ટીને પણ દૂર રાખી છે. છેલ્લા 12 વર્ષથી કૌભાંડ ચાલતું હતું. કોઈ ભરતી બાકી નથી રાખી, કેટલાય મંત્રી મુખ્યમંત્રી સત્તાધીશો બદલી નાખ્યા તો માટે એવું સમજવાનું કે આ બધાએ પૈસા ખાધા છે? સરકારને પડકાર ફેંકતા કહ્યું કે એક એકને સામે લાવીશ. મને જેલમાં નાખી દો તો પણ લડીશ. એનઆઈઓસમાં, વનવિભાગની ભરતીમાં દોડનાર અલગ, પ્રિલિમ આપનાર અલગ અને નોકરી કરનાર અલગ છે.  


યુવરાજસિંહ વિરૂદ્ધ નોંધાઈ શકે છે એફઆઈઆર?   

ડમી ઉમેદવાર મામલે ભાવનગર પોલીસે આ મામલે 36 આરોપીઓ વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી અને ચાર જેટલા આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે આ મામલે થોડા દિવસો બાદ એક મોટો ઘટસ્ફોટ થયો હતો. જે મુજબ નામ ન લેવા માટે યુવરાજસિંહે લાખો રુપિયા લીધા છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં બિપિન ત્રિવેદીએ યુવરાજસિંહ પર પૈસા લેવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે મળતી માહિતી અનુસાર પોલીસે બિપિન ત્રિવેદીને ડિટેન કરી લીધો છે. ત્યારે આવનાર સમયમાં આ મામલે અનેક મોટા ખુલાસા થઈ શકે છે તેવું હાલ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બિપીન ત્રિવેદીના નિવેદન બાદ યુવરાજસિંહ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ શકે છે. આ બધા વચ્ચે આ મામલે યુવરાજસિંહે સરકારને પ્રશ્નો પૂછ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.