Getcoનાં MD સાથે Yuvarajsinhએ મીટીંગ તો કરી પણ નિષ્કર્ષ શું? સાંભળો મીટિંગ બાદ Yuvrajsinhએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-12-22 15:48:08

ગુજરાતમાં વધુ એક આંદોલન સમેટાયું છે. એક તરફ માલધારી સમાજે આંદોલન સમેટ્યું છે તો બીજી તરફ વડોદરામાં જેટકો ઓફિસ બહાર આંદોલન કરી રહેલા પરીક્ષાર્થીઓએ પણ પોતાનું આંદોલન સમેટાઈ લીધું છે. ગેરરીતી થઈ હોવાનું સામે આવતા ભરતી રદ્દ કરવામાં આવી છે જેનો વિરોધ પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા. ગઈકાલથી વડોદરામાં આવેલી જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાનીમાં આંદોલન કરી રહ્યા હતા. તે આંદોલન હવે સમેટાઈ ગયું છે. 48 કલાક પુરતું આંદોલન સમેટવાની જાહેરાત પરીક્ષાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. એવી પણ માહિતી સામે આવી છે કે પોલ ટેસ્ટ માટે પરીક્ષાર્થીઓ તૈયાર થયા છે. અનેક કલાકો સુધી એમડી સાથે બેઠક થઈ હતી જે બાદ આ અંગેની જાહેરાત કરવામાં આવી છે.   

જેટકો ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ કરી રહ્યા છે ધરણા 

વડોદરા ખાતે જેટકોના પરીક્ષાર્થીઓ કરી રહ્યા હતા વિરોધ ગુજરાતમાં થતી પરીક્ષાઓમાં ગેરરીતિ થવી જાણે સામાન્ય બની ગયું છે. અનેક પરીક્ષાઓ એવી છે જેનું પરિણામ પણ આવી જાય છે તે બાદ ખબર પડે છે કે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી અને તે બાદ પરીક્ષાને રદ્દ કરવામાં આવે છે. જેટકોના પરીક્ષાર્થીઓ સાથે પણ કંઈક આવું જ થયું. ગેરરીતિ થઈ હોવાનું સામે આવતા પરીક્ષાને રદ્દ કરવાની જાહેરાત કરાઈ. જેનો પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો. વડોદરામાં આવેલી જેટકોની ઓફિસ બહાર પરીક્ષાર્થીઓ યુવરાજસિંહની આગેવાની હેઠળ પહોંચ્યા હતા.ઓફિસની બહાર બેસી પરીક્ષાર્થીઓએ વિરોધ કર્યો હતો.


પરીક્ષા માટેની નવી તારીખો કરાઈ છે જાહેર 

ત્યારે આજે હવે આ આંદોલન સમેટાઈ ગયું છે. જેટકોના એમડી સાથે યુવરાજસિંહની અનેક કલાકો સુધી મીટિંગ ચાલી હતી. મીટિંગ બાદ આંદોલનને સમેટવાની જાહેરાત કરવામાં આવી. પરીક્ષાર્થીઓ માત્ર પોલિંગ ટેસ્ટ આપશે તેવી માહિતી આપવામાં આવી. મહત્વનું છે કે ગઈકાલે જ સરકાર દ્વારા પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જોવું રહ્યું કે જે બાંહેધરી એમડી દ્વારા આપવામાં આવી છે તે સાચી પડે છે કે પછી....      



વક્ફ સુધારા ખરડો તેને લોકસભામાં રજૂ કરી દેવાયો છે. સ્પીકર ઓમ બિરલાએ આ માટે ૮ કલાક ચર્ચા કરવા સમય ફાળવ્યો છે. તેમાંથી ૪ કલાક જેટલો સમય તો સત્તાધારી પક્ષના સાંસદોને ફાળવવામાં આવ્યો છે. વક્ફ સુધારા ખરડાનો વિરોધ ઇન્ડિયા અલાયન્સ જોરશોરથી કરી રહ્યું છે . વર્તમાન એનડીએ સરકારનું કેહવું છે કે , આ ખરડો એટલે લાવવામાં આવ્યો છે કેમ કે , વક્ફની સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવી શકાય.

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.