વડોદરાના સાવલીમાં દશામાની મૂર્તિ વિસર્જિત કરવા ગયેલા 6 લોકો મહી નદીમાં ડૂબ્યાં, 3ના મોત


  • Published By :
  • Published Date : 2023-07-27 14:06:50

રાજ્યમાં ભારે વરસાદના કારણે નદીઓ બંને કાંઠે વહી રહી છે. નદીઓમાં પૂરના કારણે લોકોના ડુબવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમ કે વડોદરાના રણછોડ પુરા ગામમાં રહેતા 3 યુવકો મહી નદીના વહેતા પ્રવાહમાં ગરકાવ થતાં તેમના મોત થયા હતા. આ ઉપરાંત સિંઘરોટની નદીમાં એક હોમગાર્ડ જવાન અને પાદરાના બે યુવાનો પણ નદીમાં ડૂબી ગયા છે. ગત રાત્રે દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દશામાની મૂર્તિના વિસર્જન વખતે મોટી સંખ્યામાં લોકો મહી કાંઠે એકત્રીત થયા હતા. દશામાં મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા 6 યુવાનો ડૂબી જતા અને તેમાં પણ 3 લોકોના મોત થતાં સાવલી તાલુકામાં હાહાકાર મચી ગયો છે.


બચાવ કામગીરી ચાલુ


મહી નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ રહેલા યુવકોનાને બચાવવા માટે નદી કાંઠે હાજર રહેલ લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી યુવકોને બચાવી શકાયા નહતા. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે આવી પહોંચી હતી. પાણીમાં ગરકાવ થયેલા એક સગીર યુવક સહિત અન્ય બે યુવકોની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર વિભાગની કામગીરીને પગલે મહિસાગર નદીના પાણીમાંથી રણછોડપુરા ગામના 32 વર્ષીય સંજય પુનમ ભાઈ ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અન્ય બે ડૂબેલ યુવકોની શોધખોળ ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. સાવલી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતક સંજય ગોહિલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડયો હતો.


MLA કેતન ઈનામદાર સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા


સાવલી તાલુકામાં એક સાથે ત્રણ યુવકો પાણીમાં ડૂબવાની ઘટનાને પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપરાંત સાવલી એસ ડી એમ, મામલદાર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમાં ડૂબેલ અન્ય બે યુવકો જેઓ રણછોડપુરા ગામના જ વતની 15 વર્ષીય ગોહિલ વિશાલભાઈ રતીલાલ અને 20 વર્ષીય ગોહિલ કૌશિક ભાઈ અરવિંદભાઈની શોધખોળ હાથ ધરી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.