Rajkot PGVCL બહાર યુવાનોના ધરણા! જગ્યા ખાલી હોવા છતાંય ભરતી ન કરાતા યુવાનોમાં આક્રોશ, યુવરાજસિંહ પહોંચ્યા સમર્થનમાં


  • Published By :
  • Published Date : 2024-02-03 16:58:48

ફરી એકવાર વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે પણ આ વખતે ગાંધીનગરમાં નહીં રાજકોટમાં વિધ્યાર્થીઓ બે દિવસથી કચેરી આગળ આંદોલન પર હતા. ત્રીજા દિવસે પણ આવી કડકડતી ઠંડીમાં પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આંદોલન કરી રેહલા પરીક્ષાર્થીના સમર્થન માટે પહોંચ્યા છે.  પરીક્ષા લીધી પણ નિમણૂક કરવામાં નથી આવતી તેવા આક્ષેપ સાથે પરીક્ષાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.  

ત્રણ દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ઓફિસ બહાર ધરણા!  

સૌરાષ્ટ્રમાં pgvcl કંપનીમાં વીજ હેલ્પરની પરીક્ષા આપી છતાં ભરતી ના કરવામાં આવી જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજકોટ PGVCL કચેરી દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 6,000થી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જોકે ખાલી જગ્યાઓ મુજબ ભરતી કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ બે દિવસથી ધરણાં પર છે. ત્રીજા દિવસે પણ પરીક્ષાર્થીઓનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ઓફિસ બહાર ધરણા કરવામાં આવી રહ્યા છે. 


આંદોલન કરી રહેલા યુવાનોને યુવરાજસિંહે આપ્યું સમર્થન 

પીજીવીસીએલ કંપનીની બહાર 300 જેટલા યુવાનો ધરણા કરી રહ્યા છે. ઓફિસની બહાર પરીક્ષાર્થીઓ બેઠા છે અને આ આંદોલન ચલાવી રહ્યા છે. ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની જગ્યાઓ ખાલી હોવા છતાંય ભરતી નથી કરવામાં આવી રહી તે વાતનો યુવાનોને રોષ જોવા મળી રહ્યો છે. ભરતી કરવામાં આવે તેવી માગ સાથે યુવાનો ધરણા કરી રહ્યા છે. આજે તેમના ધરણાનો ત્રીજો દિવસ છે. અનેક નારાઓ લગાવવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ રાજકોટ પહોંચી ગયા છે અને યુવાનોના ધરણામાં સાથ આપી રહ્યા છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.