જ્ઞાન સહાયકના વિરોધમાં ગાંધીનગરમાં યોજાઈ યુવા અધિકાર રેલી, આપના નેતાઓએ સરકારને ફેંક્યો આ પડકાર


  • Published By :
  • Published Date : 2023-10-20 20:00:18

જ્ઞાન સહાયકના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત યુવા અધિકાર યાત્રાનો આજે સાતમો દિવસ હતો. આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈતર વસાવાની અધ્યક્ષતામાં યુવા અધિકાર યાત્રા દાંડીથી નીકળી હતી અને આજે ગાંધીનગર ખાતે પહોંચી હતી.આ યાત્રામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ હોદ્દેદારોની સાથે સાથે જિલ્લા તથા તાલુકા અને શહેરનાના પ્રમુખ તથા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. સાથે સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ટેટ ટાટ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.  ગાંધીનગરમાં આ વિશાળ રેલીને આપના અગ્રણી નેતાઓએ સંબોધી હતી. આપના આ તમામ નેતાઓએ જ્યાં સુધી ભાજપ સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરી કાયમી ભરતી શરુ નહિ કરે ત્યાં સુધી આમ આદમી પાર્ટીની આ લડાઈ ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા, ઉમેશ મકવાણા, કરશન બાપુ ભાદરકા, પ્રવિણ રામ, મનોજ સોરઠિયા અને યુવરાજ સિંહ જાડેજા સહિતના નેતાઓએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સભા પૂર્ણ થયા બાદ  યુવા અધિકાર યાત્રા ગાંધી આશ્રમ જવા રવાના થઈ હતી.


આ નેતાઓએ શું કહ્યું?


આપના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખાનગીકરણની નિતીનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે જો સરકાર જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવામાં નહીં આવે તો અમે ભાજપના તમામ નેતાઓને ઘરોનો ઘેરાવ કરવામાં આવશે. ભાજપ સરકાર કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતીઓ કરીને સરકારી નોકરી ખતમ કરી રહી છે અને ખાનગીકરણ કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપના ધારાસભ્યો અને સાંસદો મોટા મોટા બંગલામાં રહે છે. તેમના બાળકોની 5-5 લાખ રૂપિયા ફી ભરે છે. એવા ભાજપના નેતાઓ ક્યારેય આ દિવસ-રાત સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનોની વેદના નહીં સમજી શકે. તે જ પ્રકારે યુવા નેતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે જો સરકાર આ નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો સરકાર તેના પરિણામો ભોગવવા તૈયાર રહે. તેમણે કહ્યું કે કે અમે આ કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી બંધ કરાવીને ઝંપીશું. સરકાર નહીં માને તો પાયા હચમચાવી દેવામાં આવશે. શિક્ષણ મંત્રીને પડકાર ફેંકતા કહ્યું તમને ઘરે બેસાડતા પણ અમને આનડે છે. મનોજ સોરઠીયાએ લોકોને સંબોધતા કહ્યું કે સરકારી શિક્ષણ ખતમ કરવાનું આ સરકારનું કાવતરૂ ગણાવ્યું હતું અને જ્ઞાન સહાયક યોજના ભાજપની યોજનાનો ભાગ છે. પ્રવિણ રામે કહ્યું કે પહેલા ભાજપ સરકારની માનસિકતા યુવાઓ વિરોધી હતી અને હવે ભાજપ સરકારની યોજનાઓ પણ યુવાઓના ભવિષ્યને બરબાદ કરનારી છે.


ટેટ-ટાટ ઉમેદવારો સહિત અગ્રણી નેતા રહ્યા હાજર 


ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા દાંડી 2.0 ગાંધીનગર સુધી યુવા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવાની આગેવાની હેઠળ ગાંધીનગરમાં આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપસ્થિત રહેશે ઉપરાંત રાકેશ હિરપરા, નોર્થ જોન ઉપપ્રમુખ ડો. રમેશ પટેલ સંગઠન મંત્રી જયદીપસિંહ ચૌહાણ, નોર્થ જોન સેક્રેટરી મંત્રી ચંદુભાઈ પટેલ, જીલ્લા ઈન્ચાર્જ નરેન્દ્રસિંહ પરમાર, લોકસભા ઈન્ચાર્જ બિપીન ચંદ્ર ગામેતી, જીલ્લા પ્રમુખ જીતેન્દ્રસિંહ પરમાર અને યુવા પ્રમુખ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. ખરાડી અને અન્ય જિલ્લા પ્રમુખો સહિત તમામ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ટેટ પાસ વિદ્યાર્થીઓએ મહત્વનો ફાળો આપ્યો હતો. જેમણે દાંડીથી ગાંધીનગર સુધી પગપાળા પદયાત્રા કરીને રેલીમાં ભાગ લઈ સમગ્ર કાર્યક્રમને પ્રભાવિત કર્યો હતો. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સાબરકાંઠા જિલ્લાના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા.



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!