રાજસ્થાનમાં ધોળા દિવસે થઈ યુવકની હત્યા, બદમાશોએ ભાજપના નેતાના પુત્રને ઉતાર્યો મોતને ઘાટ


  • Published By :
  • Published Date : 2023-02-03 16:08:40

વિદેશોથી અનેક વખત ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે. અંધાધૂધ ફાયરિંગમાં અનેક લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે રાજસ્થાનથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. ચિત્તોડગઢના નિમ્બહેરામાં ગુરૂવારે સાંજના સમયમાં આ ઘટના બની હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ ઘટનામાં જે યુવકનું મોત થયું તે રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખના પુત્ર હતા. 

ચિત્તોડગઢની નિમ્બહેરા જેલની સામે બદમાશોએ બીજેપી નેતાના એકના એક પુત્ર બંટીની હત્યા કરી હતી. ફાયરિંગ બાદ બંટી લગભગ 5 મિનિટ સુધી ત્યાં જ રસ્તા પર તડપી રહ્યો હતો.

ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની 

આ વર્ષે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ દરેક પાર્ટીએ કમરકસી લીધી છે. ત્યારે રાજસ્થાનથી એક એવી ઘટના સામે આવી છે જેમાં ગોળી વાગવાને કારણે 28 વર્ષના યુવકનું મોત થયું છે. આ ઘટના ચિત્તોડગઢના નિમ્બહેરામાં બની હતી. કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 

ઘટના બાદ સાઇબર પોલીસ બંટીને હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

હુમલાખોરોએ યુવકને મારી 8 ગોળી  

રાજસ્થાનના ભાજપના પૂર્વ બૂથ પ્રમુખ બાપુલાલ અંજનાના 28 વર્ષીય પુત્ર વિકાસ અંજનાની હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ગુરૂવારના રોજ સાંજે પાંચ વાગ્યે બની તી જેમાં 3 બદમાશોએ તેને ઘેરી લીધો અને તેની છાતીમાં 8 ગોળીઓ ઉતારી દીધી. ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોમાં ડર વ્યાપી ઉઠ્યો છે.     




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.