યુવાધન ચઢી રહ્યું છે ડ્રગ્સના રવાડે! Gujarat Policeએ શરૂ કર્યું Anti Drugs Campaign..


  • Published By :
  • Published Date : 2024-06-24 18:59:01

યુવાઓમાં દેશનું ભાવિ છુપાયેલું હોય છે. દેશના યુવાઓ જેટલા મજબૂત હોય છે તેટલું જ સારું ભવિષ્ય દેશનું હોય છે. આજકાલ ડ્રગ્સ પકડાવવાના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં જ છેલ્લા થોડા સમયમાં ડ્રગ્સ મોટી માત્રામાં પકડાયા છે. ત્યારે ડ્રગ્સમાંથી યુવાનો મુક્ત બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા Campaignની શરૂઆત કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે.




ડ્રગ્સને સપલાય કરવા માટે અપનાવામાં આવે છે અલગ અલગ રસ્તા 

દેશને સમૃદ્ધ કરવો હોય તો યુવાનોને સમુદ્ધ કરવા પડે, તેમના ભાવિને મજબૂત કરવું પડે.. પરંતુ આજકાલ યુવાનો ડ્રગ્સનો નશો કરી રહ્યા છે. ડ્રગ્સના રવાડે ચઢી યુવાનો પોતાના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. નાની ઉંમરના લોકો ડ્રગ્સના નશા કરી રહ્યા છે. ડ્રગ્સને સપલાય કરવા માટે અલગ અલગ, નીત નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. આપણે વિચારી પણ ના શકીએ તેવી રીતે ડ્રગ્સને સપ્લાય કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું અભિયાન

યુવાનો ડ્રગ્સમાંથી છુટી શકે તે, નશામાંથી છુટી શકે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક સંસ્થાઓ નશા મુક્તિ તરીકે કામ કરતી હોય છે. ત્યારે ગુજરાતના યુવાનો નશામાં, ડ્રગ્સ લઈ પોતાનું જીવન ખરાબ ના કરે તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક પહેલ કરવામાં આવી છે. Anti Drugs Campaignની શરૂઆત કરવામાં આવી છે. હેલ્પલાઈન નંબર 1908 જાહેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે દેશના ભાવિ ડ્રગ્સના રવાડે ચઢી પોતાનું ભાવિ ખરાબ કરે છે.. ત્યારે ડ્રગ્સનો નશો કરતા દરેક લોકોને અપીલ કરવી છે કે ડ્રગ્સ માત્ર થોડા સમય માટે આનંદ આપી શકે છે પરંતુ તે પછી જિંદગીભર પછતાવો આપે છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે