રાજ્યમાં યુવાનોને Heart Attack આવવાનો સિલસિલો યથાવત, આજે બે લોકોના મોત Heart Attackને કારણે થયા!


  • Published By :
  • Published Date : 2023-11-17 16:07:55

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. યુવાનોને કાળ રૂપી હાર્ટ એટેક ભરખી રહ્યો છે. ગઈકાલે સાબકાંઠાથી તો તેના થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરથી હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે આજે પણ બે જેટલા વ્યક્તિના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. એક ઘટના મોરબીથી સામે આવી છે જ્યારે બીજી ઘટના અમરેલીથી સામે આવી છે. 37 વર્ષની ઉંમરે અમરેલીમાં એક વ્યક્તિએ અંતિમ શ્વાસ લીધા છે. પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીને હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. સુપ્રિટેન્ડેન્ટ વિકાસ કુમારને હાર્ટ એટેક આવતા વિભાગમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 

One More Youth Died Of Heart Attack In Sabarkantha, A Youth From Kamalpur  In Edar Lost His Life. | સાબરકાંઠામાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત,  ઇડરના કમાલપુરના યુવકે ગુમાવ્યો જીવ

સાબરકાંઠાથી સામે આવ્યો હતો હાર્ટ એટેકનો કિસ્સો 

જીવનનો કોઈ ભરોસો રહ્યો નથી. કોણ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની જાણ નથી હોતી. એક સમય હતો જ્યારે લોકોના મોત કોરોનાને કારણે થતા હતા પરંતુ હવે હાર્ટ એટેકને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. પ્રતિદન 2-3 લોકોના મોત હૃદય હુમલાને કારણે થયા છે. ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ગઈકાલે સાબરકાંઠાથી હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો હતો. સાબરકાંઠામાં 40 વર્ષીય યુવકનું મોત હૃદય હુમલાને કારણે થતા પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. 


Pipavav customs department officer died of heart attack Amreli:  રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત, પીપાવાવ કસ્ટમ વિભાગના અધિકારીએ 37 વર્ષની ઉંમરે ગુમાવ્યો જીવ

આજે પણ બે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે!

અમરેલીમાં એક યુવકનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. કસ્ટમ વિભાગમાં ડ્યુટી કરી રહેલા અધિકારીને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેક આવતા તેમને રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનની અચાનક વિદાયથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. તે ઉપરાંત મોરબીથી પણ હાર્ટ એટેકનો કિસ્સો સામે  આવ્યો છે. નાની ઉંમરે યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થવાને કારણે યુવાનોમાં ચિંતા વધી છે. યુવાનોમાં હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે તે જાણવા માટે સરકારે નિષ્ણાત ડોક્ટરોના ટીમની રચના કરી છે. વિદ્યાર્થીઓમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને ધ્યાનમાં રાખી શિક્ષકોને સીપીઆરની તાલીમ આપવામાં આવશે તેવી જાણકારી શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવી છે.       



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!