હિંમતનગરમાં યુવાનનું હાર્ટ એટેકથી મોત, નવા ઘરનો દસ્તાવેજ કરવા ગયેલો પરીક્ષિત રજીસ્ટ્રાર કચેરીમાં ઢળી પડ્યો


  • Published By :
  • Published Date : 2023-08-01 18:56:42

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, દર 2-3 દિવસે હાર્ટ એટેકથી મોતને ભેટતા યુવાનના સમાચાર સામે આવે છે. સાબરકાંઠા જિલ્લામાં પણ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી ફેલાઈ છે. પ્રાંતિજ તાલુકાનાના પોગલુ ગામનો યુવાન પરીક્ષિત પટેલ હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવે છે. તેણે હિંમતનગરમાં પોતાનું ઘર ખરીદ્યુ હતું અને જેનો દસ્તાવેજ કરવા માટે બહુમાળી ભવનમાં ગયો હતો, જ્યા ઘરનો દસ્તાવેજ કરી ઉભો થતા જ ઢળી પડ્યો હતો.


હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત


હિંમતનગરના બહુમાળી ભવનમાં યુવક પરીક્ષિત પટેલ ઢળી પડતા સ્ટેમ્પ વેન્ડર કમલેશભાઈએ તેને ઉભો કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ બેહોશ જણાતા અન્ય આસપાસના લોકો અને કચેરીનો સ્ટાફ પણ બેહોશ યુવકને ઉભો કરવા પ્રયાસમાં લાગ્યો હતો અને એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જો કે એમ્બ્યુલન્સને આવતા મોડુ થતાં તાત્કાલિક તેને  રીક્ષા દ્વારા હોસ્પિટલ લઈ જવા માટે તજવીજ હાથ ધરી હતી. સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં પહોચ્યા બાદ તબિબે તેને ચેક કર્યા બાદ મૃત જાહેર કર્યો હતો. 


પરિવાર શોકાતૂર બન્યો


હિંમતનગરમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા પરીક્ષિત પટેલને પરિવારમાં પત્ની અને 8 વર્ષનો પુત્ર છે. જો કે અચાનક જ 35 વર્ષના યુવાનનું મોત થતાં પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યુ હતું. પરિવાર સાથે સુખેથી રહેવા માટે પરીક્ષિત પટેલે  હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ નિલંકઠ વિલા સોસાયટીમાં મકાન ખરીદ્યુ હતું. ઘરના માલિક બન્યાની રાહતનો શ્વાસ લઈને ખુશીઓ વ્યક્ત કરે એ પહેલા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.