આપ વાળા આ જબરૂ લાવ્યા છે, કહે છે પટેલ છે એટલે અટકાયત કરી!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-13 17:09:00

દિલ્હી પોલીસ દ્વારા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છએ કે, PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી છે.   

ગોપાલ ઇટાલિયાની ધરપકડ મામલે ઇસુદાન ગઢવીએ  પ્રતિક્રિયા આપી અને કહ્યું "ભાજપને પટેલો થી નફરત છે અને એટલે ગોપાલ ઇટાલિયાની ધરપકડ થઈ કારણકે તે પટેલ સમાજ માંથી આવે છે. ગોપાલ ઇટાલિયાએ કોઈ કરોડોના કોમભાંડ કર્યા નથી . તો ગોપાલ ઇટાલિયાનો વાંક શું ? વધુમાં તેમણે કહ્યું સરદાર પટેલ અગ્રેજોથી ડર્યા નોહતા એટલે  એમના વંશજ ગોપાલ ઇટાલિયાને કોઈ ભાજપની જેલ ડરાવી શકશે નહીં સમગ્ર પટેલ સમાજ અને તેમના યુવાનોમાં આજે રોષ છે. અને આ આખું ષડયંત્ર C R પાટિલ દ્વારા રચવામાં આવ્યું છે. અને આ મામલે અરવિંદ કેજરીવાલ અને રાઘવ ચડ્ડાએ પણ ટ્વીટ કર્યા છે 



 

જ્યારે આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભા ચુંટણી લડવાની વાત કરી ત્યારે તમામ નેતાઓ કેહતા હતા કે અમે અલગ રાજનીતિ કરીશું અમે મુદ્દાની વાતથી ચુંટણી લડશું ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ જાતિવાદની રાજનીતિ કરી રહ્યા છે હવે શું એવું માનવાનું કે ગુજરાત જીતવા માટે જાતિ અને ધર્મની રાજનીતિનો સહરો લેવો પડે છે જે લોકો રાજનીતિ બદલવાની વાત કરતાં હતા.એ હવે પોતે જાતિ અને ધર્મના નામે રાજનીતિ કરતાં દેખાય રહ્યા છે  












  



એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.