હા આ ગુજરાત તમે બનાવ્યું છે, પરેશ ધાનાણીએ કર્યા પ્રહાર


  • Published By :
  • Published Date : 2022-11-09 14:56:04

અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપના સૂત્ર પર આકરા પ્રહારો કર્યા.10થી વધુ ટ્વિટ કરી ભાજપના કેમ્પેન સામે પ્રહાર કર્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે, ઓક્સિજનના બાટલા માટે,કોરોનામાં ટળવળતુ ગુજરાત,તમેજ બનાવ્યુ છે..! 

ટવીટરથી કર્યા શાબ્દિક પ્રહાર 

ભાજપના નવું સૂત્ર કે, આ ગુજરાત અમે બનાવ્યું છે જેને લઈને પરેશ ધાનાણીએ ટ્વિટ કરતાં રાજકારણ ગરમાયું છે  ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે જેમાં રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી શાબ્દિક યુદ્ધ ખેલી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી રાજકારણના કદાવર નેતા કહેવાય છે. અમરેલીમાં પરેશ ધાનાણીએ અનેક નેતાઓને ચુંટણીમાં પછાડી દીધા છે. ધાનાણી સતત પક્ષ સામે છેકથી આક્રમક મૂડમાં રહેતા હોય છે. 

નરેન્દ્ર મોદી લાવ્યા આ સૂત્ર 

વલસાડના કપરાડામાં જ્યારે સભા હતી તે દરમ્યાન પીએમ નરેન્દ્ર મોદી બોલ્યા હતા કે, પ્રત્યેક ગુજરાતી બોલે છે.પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે.“આ ગુજરાત મેં બનાવ્યું છે.”વલસાડની સભામાં વારંવાર આ શબ્દો નરેન્દ્ર મોડી બોલ્યા હતા ત્યારબાદ બીજેપીએ આ સૂત્રને લઈને કેમ્પેન ચલાવ્યું હતું અને સોંગ પણ લોન્ચ કર્યું હતું 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.