ગુજરાતમાં યલો એલર્ટ, અમદાવાદમાં 4 કલાક બંધ રહેશે 125 ટ્રાફિક સિગ્નલ, જાણો કેમ


  • Published By :
  • Published Date : 2023-04-22 15:49:43

ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગરમીને લઈ હવામાન વિભાગે પણ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરી છે. યલો એલર્ટને ધ્યાનમાં લઈ અમદાવાદ ટ્રાફિક વિભાગે પણ મોટા નિર્ણય લેતા શહેરના 125 જેટલા ટ્રાફિક સિગ્નલોને બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 


લોકોને ગરમીથી બચાવવા માટે નિર્ણય


અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના જણાવ્યા પ્રમાણે ભીષણ ગરમી અને લૂમાં લોકોને લાંબા સમય સુધી રોડ પર રોકાવું ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે બપોરના 12થી 4 વાગ્યા સુધી એટલે કે ચાર કલાક સુધી 125 સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના 58 મોટા અને મહત્વના સિગ્નલોના સમયમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વ્યવસ્થા આખા ઉનાળા દરમિયાન અમલી રહેશે, શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.