વર્ષોથી ચાલતી પરંપરા તૂટી! વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની શિખરે લહેરાતી ધજા ખંડિત થઈ! ભક્તોએ કહ્યું દ્વારકાધીશે સંકટ પોતાના માથે લઇ લીધું!


  • Published By :
  • Published Date : 2023-06-14 15:07:22

બિપોરજોય વાવાઝોડું અતિપ્રચંડ રૂપ ધારણ કરી રહ્યું છે. દરિયાકિનારા પર સૌથી વધું ખતરો વાવાઝોડાને કારણે તોળાઈ રહ્યો છે. ત્યારે ભારે પવન અને વરસાદ હોવાને કારણે દ્વારકા મંદિરમાં બે ધ્વજાઓ ફરકી રહી હતી. પરંતુ હવે વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને જોતા ધજા ન ચઢાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાવાઝોડાને કારણે 17 જૂન સુધી દ્વારકાધીશ મંદિર પર ધ્વજા નહીં ચઢે. ત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે મંદિરની એક ધજા ખંડિત થઈ ગઈ છે. આજે સવારે બે ધજાઓમાંની એક ધજા ખંડિત થતાં અનેક ભક્તોની લાગણી દુભાઈ છે તો અનેક લોકોએ આને સારો સંકેત ગણવ્યો છે.

 


બે ધજામાંથી એક ધજા થઈ ખંડિત!        

બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે.. ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જગતના નાથ ભગવાન દ્વારકાધીશ બિપોરજોય વાવાઝોડાના મહાસંકટથી આપણા રાજ્યને હેમખેમ ઉગારી લે તે માટે જગતમંદિર પર 2 ધજા એકસાથે ચડાવવામાં આવી હતી..જેની પાછળ એવી માન્યતા છે કે 2 ધજા ચડાવાઇ હોય તો ભગવાન સંકટ પોતાના માથે લઇ લે.. જો કે આજે દ્વારકામાં ભારે પવનને કારણે જે 2 ધજા ચડાવવામાં આવી હતી તેમાંની એક ધજા ખંડિત થઇ ગઇ છે. શ્રદ્ધામાં માનતા લોકો ધજા ખંડિત થવાની આ ઘટનાને એક સંકેત તરીકે ગણી રહ્યા છે. શ્રદ્ધાળુઓ માની રહ્યા છે કે ભગવાને કદાચ ખરેખર સંકટ પોતાના માથે લઇ લીધું છે. તો કેટલાક ભક્તો માગણી પણ કરી રહ્યા છે કે ધજાને હવે બદલવામાં આવે, કારણ કે દ્વારકા જગત મંદિરની ધજા ફક્ત એક કાપડ જ નથી પરંતુ કરોડો ભક્તોની આસ્થાનું પ્રતીક છે.  


17 જૂન સુધી દ્વારકા મંદિરમાં નહીં ચઢાવવામાં આવે ધજા!

સામાન્ય દિવસોમાં જગતમંદિર જે હજારો-લાખોની ભીડથી ઉભરાતું હોય છે. ત્યાં અત્યારે સન્નાટો જોવા મળી રહ્યો છે.. જો કે  આગામી 17 જૂન સુધી જગત મંદિર ઉપર એક પણ ધજા ચઢાવવામાં નહીં આવે તેવો નિર્ણય લેવાયો છે.  આ ધજા કાળિયા ઠાકોરના ચરણમાં અર્પણ કરવામાં આવશે. ઈતિહાસમાં પહેલીવાર આ ઘટના બની રહી છે કે સળંગ 5 દિવસ સુધી ધજા ચઢાવવામાં નહીં આવે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે..



ગુજરાત માટે આગામી કલાકો ભારે!

ગુજરાત પર આગામી 24 કલાક ભારે છે. કાલ સાંજ સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાઈ શકે છે. આ દરમિયાન પ્રતિકલાક 150 કિલોમીટરની રફ્તારથી પવન ફૂંકાઈ શકે છે. બીજી તરફ આજે જામનગર અને દ્વારકાના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.દ્વારકાના દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકામાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અત્યાર સુધી દ્વારકા જિલ્લામાં લગભગ સાત હજાર લોકોને નીચાણવાળા વિસ્તારોમાંથી લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યાં છે. એમ્બ્યુલન્સ, એસટી બસો, એનડીઆરએફ ટીમ, એસડીઆરએફ ટીમને ખડેપગે રખાઈ છે. જેથી કરીને પવન અને વરસાદમાં વધારો જણાય તો લોકોને પૂરતી મદદ આપી શકાય...



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!