વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીની પણ થઈ હતી સાંસદની સદસ્યતા રદ્દ , જાણો શું હતો સમગ્ર ઘટનાક્રમ


  • Published By :
  • Published Date : 2023-03-25 19:18:29

કહેવાય છે કે ઈતિહાસ પોતાને અનેક વખત પુનરાવર્તિત કરે છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ કરવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે જે થયું તે પહેલા ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ થયું હતું. થોડા વર્ષો પહેલા ઈન્દિરા ગાંધીને પણ લોકસભાના સભ્યપદથી વંચિત રાખવામાં આવ્યા હતા. 

National : આજે કટોકટીની વર્ષગાંઠ, જાણો ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી  ઇમરજન્સીની કેટલીક વરવી વાસ્તવિક્તાઓ | TV9 Gujarati

ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ પણ પોતાની સદસ્યતા ગુમાવી હતી. રાયબરેલી બેઠક પરથી ઈન્દિરા ગાંધીએ પોતાની દાવેદારી જાણીતા સમાજવાદી રાજકારણી રાજનારાયણ સામે નોંધાવી હતી. આ બેઠક પરથી ઈન્દિરા ગાંધી ચૂંટણી જીત્યા  હતા. હારેલા ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે ચૂંટણી દરમિયાન ઈન્દિરા ગાંધીએ સરકારી તંત્રનો તેમજ અધિકારીનો મોટા પાયે દુરૂપયોગ કર્યો હતો જેને કારણે તેમની સદસ્યતા રદ્દ કરવામાં આવે. અલ્હાબાદ હાઈકોર્ટમાં ઈન્દિરા ગાંધી લગભગ 5 કલાક હાજર રહ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીનું સભ્યપદ રદ્દ કર્યું. સભ્યપદ રદ્દ થતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સભ્યપદથી વંચિત નહીં રખાય પરંતુ તેમનો મતદાન કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટે છીનવી લીધો. આ બાદ ઈન્દિરા સરકાર વિરૂદ્ધ વિપક્ષો એક થયા જે બાદ ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી દીધી. 

મોરારજી દેસાઈ : એ પ્રથમ ગુજરાતી વડા પ્રધાન જેમના પર પાકિસ્તાનને પ્રેમ હતો -  BBC News ગુજરાતી

કટોકટી બાદ વર્ષ 1977માં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. રાયબરેલી ખાતેથી ઈન્દિરા ગાંધીએ ઉમેદવારી નોંધાવી હતી પરંતુ ત્યાં ઈન્દિરા ગાંધીની હાર થઈ હતી અને હરાવવા વાળા ઉમેદવાર હતા રાજનારાયણ. વર્ષ 1978માં ઈન્દિરા ગાંધીએ કર્ણાટકની ચિકમંગલૂર સીટ પરથી પેટા ચૂંટણી લડી અને જીતી સંસદ પહોંચ્યા. તે વખતે જનતા પાર્ટીની સરકાર હતી અને વડાપ્રધાન પદ પર હતા મોરારજી દેસાઈ. 14 ડિસેમ્બર 1978માં લોકસભાની સદસ્યતા રદ્દ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.  


UP Election 2022: બીજા તબક્કાના વોટિંગ ટ્રેન્ડે ઊભા કર્યા અનેક સવાલ, અનેક  ઠેકાણે વધેલું મતદાન કોને

એવું કહેવાય છે કે આ વાતથી ઈન્દિરા ગાંધીને આઘાત લાગ્યો હતો કે તે અનેક મહિનાઓ સુધી ઘરની બહાર નિકળ્યા ન હતા. અમુક દિવસો માટે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ બધી ઘટનાઓને કારણે ઈન્દિરા ગાંધીને લઈ લોકોમાં સહાનુભૂતિ જાગી. ચિકમંગલુરમાં પેટાચૂંટણી જીતી તેઓ સંસદ પહોંચ્યા હતા. લોકસભામાં લગભગ એક સપ્તાહ સુધી ચર્ચા ચાલી હતી. જે બાદ ઈન્દિરા ગાંધીનું સભ્યપદ નાબુદ થઈ ગયું હતું. પરંતુ આ આપત્તિને ઈન્દિરા ગાંધીએ અવસરમાં બદલ્યો. આ નિર્ણયને લઈ દેશભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેને કારણે સરકાર નબળી પડવા લાગી. સરકાર પડી અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સત્તા પર આવ્યા. 1980માં ઈન્દિરા ગાંધીને સારૂ જનસમર્થન મળ્યું અને ફરી એક વખત ઈન્દિરા ગાંધી સરકારમાં આવ્યા હતા. આવી જ ઘટના સોનિયા ગાંધી સાથે થઈ હતી.   

સુરત : 'મોદી' સમાજ વિશેની ટિપ્પણી બદલ રાહુલ ગાંધી દોષિત, બે વર્ષની કેદની  સજા, કોર્ટે જામીન આપ્યા એ બદનક્ષીનો કેસ શું છે? - BBC News ગુજરાતી

ત્યારે ગાંધી પરિવારની આ ત્રીજી પેઢી છે જેની સાથે આવી ઘટના બની છે. ગઈકાલે રાહુલ ગાંધીની સદસ્યતા રદ્દ થઈ ગઈ હતી. મોદી સરનેમને લઈ ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જેને પગલે પૂર્વમંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. બે વર્ષની જેલ અને દંડની સજા રાહુલ ગાંધીને ફટકારવામાં આવી હતી. સજા થતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ્દ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી પહેલા આવી ઘટના ઈન્દિરા ગાંધી તેમજ સોનિયા ગાંધી સાથે પણ બની હતી. તે ઉપરાંત એવા અનેક કિસ્સાઓ છે જેમાં આવી રીતે સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. ત્યારે જોવાનુંએ રહેશે શું રાહુલ ગાંધી ઈન્દિરા ગાંધીની જેમ લોકોની સહાનુભૂતિ મેળવવામાં સફળ થાય છે કે નહીં. આપત્તિને અવસરમાં બદલવામાં રાહુલ ગાંધી સફળ થયા છે કે નહીં તે 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામ આવતા ખબર પડશે. 



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!