યાત્રાધામ મતક્ષેત્રો પર હિંદુત્વને વરેલી ભાજપ કરતા બિનસાંપ્રદાયિક કોંગ્રેસ પાર્ટીનું પ્રભુત્વ વધુ


  • Published By :
  • Published Date : 2022-11-09 18:26:12

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા તમામ રાજકીય પક્ષોનું પ્રચાર અભિયાન જોરશોરથી શરૂ થઈ ગયું છે. રાજ્યની 182 સીટ માટે યોજાનારી આ ચૂંટણીમાં રાજ્યના પ્રખ્યાત યાત્રાધામોનો પણ સમાવેશ થાય છે. હવે સવાલ એ થાય છે કે વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આ પવિત્ર યાત્રાધામો પર કયા પક્ષનો વિજય થયો છે. 


વર્ષ 2017માં પરિણામો કેવા રહ્યા હતા


મતદારોમાં ભાજપ હિંદુત્વની વિચારધારા ધરાવતો પક્ષ મનાય છે. કટ્ટર હિંદુ મતદારો પણ તે પાર્ટીને આંખો બંધ કરીને મત આપે છે. જો કે હિંદુ ધર્મના પવિત્ર યાત્રાધામો પર બિનસાપ્રદાયિક મનાતા કોંગ્રેસ પક્ષનું વર્ચસ્વ છે. રાજ્યના ખ્યાતનામ અને હિંદુ-જૈન આસ્થાનું પ્રતિક મનાતા 11 યાત્રાધામોમાંથી 8 બેઠકો પર કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે. જ્યારે માત્ર ત્રણ જ સીટ ભાજપના ફાળે જઈ છે.


વર્ષ 2022માં યાત્રાધામ મતક્ષેત્રમાં સસ્પેન્સ ચથાવત


ગુજરાતના 11  પ્રસિદ્ધ યાત્રાધામ ધરાવતા મતક્ષેત્રમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન હંમેશાથી સસ્પેન્સ જોવા મળ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ત્રણમાં ભાજપનો અને આઠમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. હવે 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું પરિણામો આવશે તેને લઈને કુતુહલતા જોવા મળી છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.