AAPની મહેસાણામાં યાત્રા !!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-22 17:18:39

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા ગુજરાતની મુલાકાતે છે ત્યારે આજે તેઓ મેહસાણા પહોંચ્યા. મેહસાણામાં આજે આપની તીરંગા નીકળી. જેમાં મનીષ સિસોદીયાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. 


મહેસાણામાં aapની પરિવર્તન યાત્રા 

 મહેસાણામાં આપ દ્વારા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં તેમણે કહ્યું, હું દિલ્હીથી તમને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે 27 વર્ષથી તમે ભાજપને મોકો આપીને જોઇ લીધું છે, હવે એકવાર કેજરીવાલજીને મોકો આપો. 27 વર્ષ સુધી તમે ભાજપને મોકો આપ્યો પણ ભાજપના લોકોએ તમારા માટે શાળાઓ નથી બનાવી, હોસ્પિટલો નથી બનાવી, એમને કહ્યું કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જીવો, ખાનગી શાળાઓ પર જીવો અને મોંઘવારી પણ એટલી વધારી દીધી કે તમે લોન પર જીવો. રોજગાર તો છે જ નહીં, પોતાના બાળકોને મહેનત કરીને ભણાવો અને સરકારી નોકરીની પરીક્ષાનાં પેપર લીક કરી દો, જેનાથી બાળકો આત્મહત્યા કરી દે છે કે અથવા પોતાના ઘરે બેસી જાય છે. આ બધું તો આપણે બંધ કરવાનું છે. આ છેલ્લા 27 વર્ષથી ચાલ્યું આવે છે, જો તમારે આ બધું બંધ કરાવવું હોય તો કેજરીવાલજીને એક મોકો આપીને જોઇલો.


6 દિવસમાં ઉત્તર ગુજરાતના 5 જિલ્લા ફરશે 

મનીષ સીસોદિયા 6 દિવસમાં ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે એમને પાટણ, સાબરકાંઠા, મહેસાણા તથા અમદાવાદ જિલ્લામાં યાત્રા કાઢશે . આ દરમિયાન તેઓ મતદારો ને આકર્ષવાનો પ્રયાસ કરશે. 



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.