આગ્રામાં 45 વર્ષ બાદ તાજમહેલની દીવાર સુધી પહોંચ્યું પાણી, નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, વહીવટી તંત્ર સતર્ક


  • Published By :
  • Published Date : 2023-07-18 15:40:40

ચોમાસાના આ દિવસોમાં ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે અને તેની સીધી અસર મેદાની વિસ્તારોમાં જોવા મળી રહી છે. આગ્રામાં યમુનાનું જળસ્તર રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું, જેના કારણે 45 વર્ષમાં પહેલીવાર યમુનાનું પાણી તાજમહેલ સુધી પહોંચ્યું છે. દિલ્હીમાં કહેર વરસાવ્યા બાદ હવે આગરા અને મથુરામાં પણ યમુના નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર પહોંચી ગયું છે. આગ્રામાં યમુના નદીની જળ સપાટી અઢી ફિટ ઉપરથી વહી રહ્યું છે. હવે 45 વર્ષ બાદ યમુનાનું પાણી તાજમહેલની દિવાલને સ્પર્શી લીધુ છે. તે જ પ્રકારે તાજ મહેલની આસપાસ બનેલા નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. તાજગંજ સ્મશાન અને પોઈયાઘાટ બંને સંપુર્ણપણે જળમગ્ન નજરે પડી રહ્યું છે. જ્યારે પ્રાચીન દશેરા ઘાટ, એત્માદૌલા, રામ બાગ, મેહતાબ બાગ, જોહરા બાગ, કાલા બાગ જેવા વિસ્તારો પર પૂરનો ખતરો તોળાઈ રહ્યું છે. 


વહીવટીતંત્ર એલર્ટ મોડ પર


આગ્રામાં તાજમહેલ પાસે ASIએ પ્લિંથ પ્રોટેક્શનનું કામ કર્યું છે, આ વખતે યમુનાનું પાણી ત્યાં સુધી પહોંચી ગયું છે. ASI ઓફિસર પ્રિન્સ વાજપેયીએ જણાવ્યું છે 1978માં ભારે પૂરની સ્થિતિના કારણે પાણી તાજમહેલની પાછળની દિવાલને સ્પર્શ્યુ હતુ જે બાદ હવે 45 વર્ષે ફરી તાજમહેલની દિવાલને પાણી સ્પર્શ્યા છે. આગ્રામાં પૂરની સ્થિતિને જોતા વહીવટીતંત્ર પણ ફુલ એલર્ટ મોડ પર આવી ગયું છે. વહીવટીતંત્ર દ્વારા ફ્લડ આઉટપોસ્ટ બનાવવામાં આવી છે અને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે. કોઈપણ આપત્તિની સ્થિતિનો સામનો કરવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.