G20 સંમેલનમાં શી જિનપિંગ અને જસ્ટિન ટ્રુડો વચ્ચે આ બાબતે થઈ તકરાર, Video


  • Published By :
  • Published Date : 2022-11-16 21:54:58

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે બુધવારે ઇન્ડોનેશિયાના શહેર બાલીમાં જી-20 સમિટથી ઇતર પણ વાતચીત કરી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં બંને વચ્ચેની આ વાતચીત ' તીખી તકરાર' જેવી જણાઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, જિનપિંગ અને ટ્રુડો વચ્ચે બંને નેતાઓ વચ્ચે પહેલા થયેલી અનૌપચારિક વાતચીતની માહિતી 'લીક' થવા પર વાતચીત ચાલી રહી હતી.


ટ્રુડોએ જિનપિંગને આપ્યો જોરદાર જવાબ


મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારાજ જિનપિંગે ટ્રુડોને કહ્યું, "આપણે જે પણ ચર્ચા કરી તે લીક થઈ ગઈ, તે યોગ્ય નથી." સ્થળ પર હાજર ચીની ભાષાના અનુવાદકે જિનપિંગને આ કહેતા સાંભળ્યા. જવાબ આપતા, ટ્રુડોએ કહ્યું કે તેઓ "મુક્ત, ખુલ્લા અને નિષ્પક્ષ સંવાદ"માં વિશ્વાસ રાખે છે. તેમણે તેમ પણ કહ્યું કે આપણે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું,  તેમણે તેમ પણ કહ્યું હતું કે ભવિષ્યમાં એવી ઘટનાઓ બનતી રહેશે જેના પર આપણે અસંમત હોઈશું.



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.