WTC Day 1 : પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા 327/3, ટ્રેવિસ હેડની અણનમ 146 રનની ઈનિંગ, સ્ટીવ સ્મિથ 95 રને અણનમ


  • Published By :
  • Published Date : 2023-06-08 12:54:33

હાલ ઈંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસના અંતે સ્ટમ્પ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટના નુકસાન પર 327 રન બનાવી દીધા છે. જેમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 146 રનની અને સ્ટીવ સ્મિથે 95 રનની અણનમ ઈનિંગ્સ રમી છે. જ્યારે ભારત તરફથી મોહમ્મદ શમીએ 2 અને શાર્દુલ ઠાકુરે 1 વિકેટ ઝડપી છે. 


ચોથી વિકેટ માટે 251 રનની ભાગીદારી

ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની ભાગીદારી ભારતીય બોલર્સ માટે માથાના દુખાવા સમાન બની હતી. ટ્રેવિસ હેડે અણનમ 146 રન બનાવી અને સ્ટીવ સ્મિથે અણનમ 95 રન બનાવી ચોથી વિકેટ માટે કુલ 251 રનની ભાગીદારી બનાવી હતી, અને આ બંને ખેલાડી હજી પણ અણનમ છે, જે બાદ ભારતીય બોલર્સે માટે આ પાર્ટનરશીપ તોડવી જરુરી બની છે, હવે બીજા દિવસે જોવાનું છે કે ટીમ ઈન્ડિયા આ મજબૂત પાર્ટનરશીપને તોડવા માટે કેવા પ્રકારનો ગેમ પ્લાન બનાવે છે. 


ટીમ ઈન્ડિયાના ઝડપી બોલર્સની પરીક્ષા!


ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર બેટિંગ બાદ હવે ભારતીય બોલર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથની પાર્ટનરશીપ તોડવી ટીમ ઈન્ડિયાના બોલર્સ માટે જરુરી બની છે. જો કે ટીમ ઈન્ડિયા આ મેચમાં એક માત્ર સ્પિનરની સાથે ઉતરી છે, જેમાં સ્પિનર તરીકે રવિન્દ્ર જાડેજાને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું છે,જ્યારે ટેસ્ટમાં નંબર વન સ્પિનર રવિચંદ્રન અશ્વિનને ટીમની બહાર બેસવાનો વારો આવ્યો છે. હવે આખી મેચનો આધાર ભારતના ઝડપી બોલર્સ પર છે, હવે જોવાનું એ રહેશે કે બીજા દિવસે ભારતીય બોલર્સ કેવા પ્રકારનો દેખાવ કરે છે અને ટીમ ઈન્ડિયાને કેવી રીતે ગેમમાં કમબેક અપાવે છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે