આદિપુરૂષ ફિલ્મના ડાયલોગને લઈ લેખક મનોજ શુક્લાએ ભૂલ સ્વીકારી! હાથ જોડી રામ ભક્તોની માફી માગતા લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-08 12:53:21

બોલિવુડની અનેક ફિલ્મો એવી છે જેને લઈ વિવાદ છેડાઈ જતો હોય છે. તેવી જ એક ફિલ્મ હતી પ્રભાસ અને ક્રિતી સેનનની આદિપૂરુષ. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તે વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી. પહેલા ફિલ્મમાં વપરાયેલા વીએફએક્સને લઈ, તો પછી ફિલ્મના ડાયલોગને લઈ વિવાદ જોવા મળ્યો હતો. ફિલ્મમાં એવા અનેક ડાયલોગો હતા જેને સાંભળીને નાસ્તિકમાં રહેલી હિંદુત્વની ભાવના પણ કહેવા લાગે કે સાવ આવું તો ના હોય યાર. પ્રમોશન વખતે કહેવામાં આવ્યું હતું કે ફિલ્મ રામાયણ પર આધારિત છે, પરંતુ જ્યારે વિવાદ વધ્યો ત્યારે બચાવમાં કહેવાયું કે આ રામાયણ નથી પરંતુ આદિપુરૂષ ફિલ્મ છે.

મનોજ શુક્લાએ સોશિયલ મીડિયા પર માગી માફી

ફિલ્મ રિલીઝ થયાના થોડા દિવસોમાં ફિલ્મે સારી કમાણી. શરૂઆતના દિવસોમાં જ ફિલ્મે 300 કરોડ જેટલી કમાણી કરી લીધી હતી. પરંતુ જેમ જેમ વિવાદ વધતો ગયો તેમ તેમ ફિલ્મની કમાણી પણ ઘટતી ગઈ. અનેક શોને કેન્સલ કરવાનો વારો આવ્યો હતો. ટિકિટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. લોકોએ ફિલ્મના ડાયલોગ રાઈટર મનોજ મુન્તશીરને પણ ઘણા ટ્રોલ કર્યા હતા. ફિલ્મના ડાયલોગ્સ માટે ઘણી વખત તે બચાવ કરતા દેખાયા હતા. ડાયલોગને બદલવામાં પણ આવ્યા હતા. પરંતુ આ મામલે મનોજ મુન્તશીરએ સામે ચાલીને લોકોની માફી માગી છે. ભૂલનો સ્વીકાર કર્યો છે.  

Prabhas starrer film `Adipurush` again gets in controversy after releasing  new poster | 'આદિપુરુષ' ફસાઈ વિવાદના વમળમાં

આદિપુરૂષ ફિલ્મને લઈ લેખકે માગી માફી 

માફી માગતી પોસ્ટ કરતા તેમણે લખ્યું કે 'હું સ્વીકારું છું કે આદિપુરુષ દ્વારા જનતાની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હાથ જોડીને, હું તમારા બધા ભાઈઓ-બહેનો, વડીલો, આદરણીય ઋષિ-સંતો અને શ્રીરામના ભક્તોની નિષ્ઠાપૂર્વક માફી માગું છું. ભગવાન બજરંગ બલી આપણને બધાને આશીર્વાદ આપો. આપણે એક અને અખંડ બનીને પવિત્ર સનાતન ધર્મ અને મહાન દેશની સેવા કરવાની શક્તિ આપે.' આ પોસ્ટ મૂકતાની સાથે જ ટ્વિટર પર મનોજ શુક્લા ટ્રેન્ડ થવા લાગ્યા હતા. હવે લેખકે માગી માગી છે પરંતુ લોકો હજી પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા છે.   



આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.

જમાવટ પર અમદાવાદાના કુબેરનગર વિસ્તારના કોર્પોરેટર ઉર્મિલાબેનનો મેસેજ આવ્યો. એ વીડિયોમાં શું હતું તો આંગણવાડી છે બાળકો છે. બહેનો છે જે બાળકોને ભણાવે પણ જે સ્થળ છે એની સ્થિતિ અત્યંત દયનીય છે. ઉત્તર ઝોન મ્યુનિસિપલ કોપોરેટર જે 27 માર્ચે રામેશ્વર બ્રિજ નીચે આંગણવાડીની મુલાકાત લેવા માટે ગયા હતા.ત્યાં જઈને જોયું તો આશ્ચર્ય ચકિત થઈ ગયા. આંગણવાડીનું મકાન જર્જરિત હાલતમાં છે. પાણીની વ્યવસ્થા નથી. ટોયલેટ બાથરુમ જે બેઝિક જરુરિયાત છે એ નથી. બાળકો બહુ જ તકલીફોમાં ભણી રહ્યાં છે.