આખરે સરકાર ઝુકી, WFI ચીફ બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ 5 સભ્યોની કમિટી કરશે


  • Published By :
  • Published Date : 2023-01-23 17:33:30

દેશની મહિલાઓ પહેલવાનોના યૌન શૌષણના મુદ્દે દેશના પહેલવાનો અને કુસ્તી સંઘના બરખાસ્ત પ્રેસિડન્ટ બ્રિજભૂષણ સિંહ આમને-સામને આવી ગયા છે. જો કે હવે પહેલવાનોના ધરણા અને વિરોધ પ્રદર્શનોની સરકારે નોંધ લીધી છે. કેન્દ્ર સરકારે હવે  બ્રિજભૂષણ સિંહ સામેના આરોપો અંગે તપાસ કરવા માટે એક કમિટીની રચના કરવાની જાહેરાત કરી છે.


મેરી કોમની આગેવાનીમાં 5 સભ્યોની કમિટી 


બ્રિજભૂષણ સિંહ સામેના આરોપોની તપાસ માટે ખેલ મંત્રાલય દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. ખેલ મંત્રાલયે કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે એક મોનિટરિંગ કમિટિની જાહેરાત કરી હતી. પાંચ સભ્યોની આ સમિતીની આગેવાની પૂર્વ બોક્સર મેરી કોમ કરશે. પાંચ સભ્યોની કમિટીમાં ઓલિમ્પિયન કુસ્તીબાજ યોગેશ્વર દત્ત, દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત તૃપ્તિ મુરુગંદે, કેપ્ટન ગોપાલન, રાધા શ્રીમાનનો સમાવેશ થાય છે. મેરી કોમની આગેવાનીવાળી ઓવરસાઈટ કમિટીને કુશ્તી સંઘનું કામકાજ સંભાળવાની પણ જવબાદરી સોંપવામાં આવી છે. 


દેશના આ અગ્રણી પહેલવાનોએ કર્યો હતો વિરોધ


WFI ચીફ બ્રિજભૂષણ સિંહની સામે દિલ્હીના જંતર-મંતર પર ધરણા શરુ કર્યાં હતા. જેમાં દેશના અગ્રણી મહિલા અને પુરૂષ પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક, રવિ દહિયા, અંશુ મલિક, સંગીતા ફોગાટ અને સોનમ મલિક સહિતના 30 કુસ્તીબાજો જોડાયા હતા. વિનેશ ફોગાટનો આરોપ હતો કે બ્રિજભૂષણે મહિલાઓ પહેલવાનોનું યૌન શૌષણ કર્યું છે. કુસ્તીબાજોએ બ્રિજભૂષણ સિંહ પર જાતીય સતામણી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકીને તેમને બરતરફ કરવાની માગ કરી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.