WFIના પ્રમુખ સામે મહિલા રેસલર્સના ધરણા વચ્ચે કુસ્તી મહાસંઘે લીધો આ મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-04-24 17:33:38

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા છે. ત્યારે  ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે મહત્વનો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને 7 મી મેના રોજ યોજાવાની છે. 


WFIના પ્રમુખ સામે સુપ્રીમમાં અરજી


રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે (24 એપ્રિલ) ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સે અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં વિનેશ ફોગટ સહિત 7 કુસ્તીબાજોએ સર્વોચ્ચ અદાલતને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે. મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ સુનાવણીની માંગ કરશે.


બ્રિજભૂષણ સામે પોલીસે FIR નોંધી નહીં


WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. હવે મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરશે. વિનેશ ફોગટ સહિત 7 ખેલાડીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 21 એપ્રિલે તેઓ FIR નોંધવા માટે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી બેઠા હતા, પરંતુ પોલીસે FIR લખી ન હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે જાણીતી મહિલા રેસલરો એ વિનેશ ફોગટના નેતૃત્વમાં 18 જાન્યુઆરીએ જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. દેશના અન્ય કુસ્તીબાજોએ પણ ફેડરેશન પર મનમાની કરવાની વાત કરી હતી. વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા, સંગીતા ફોગટ, સોનમ મલિક અને અંશુ મલિક જેવા કુસ્તીબાજો પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે ધરણા પર બેઠા છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.