WFIના પ્રમુખ સામે મહિલા રેસલર્સના ધરણા વચ્ચે કુસ્તી મહાસંઘે લીધો આ મોટો નિર્ણય


  • Published By :
  • Published Date : 2023-04-24 17:33:38

રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન ઉત્પીડનના આરોપોને લઈને કુસ્તીબાજોએ ફરી એકવાર જંતર-મંતર પર ધરણા શરૂ કર્યા છે. ત્યારે  ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રાલયે મહત્વનો નિર્ણય લેતા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાની ચૂંટણીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ચૂંટણી આવતા મહિને 7 મી મેના રોજ યોજાવાની છે. 


WFIના પ્રમુખ સામે સુપ્રીમમાં અરજી


રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં આજે સોમવારે (24 એપ્રિલ) ધરણા પર બેઠેલી મહિલા રેસલર્સે અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં વિનેશ ફોગટ સહિત 7 કુસ્તીબાજોએ સર્વોચ્ચ અદાલતને બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ FIRનો આદેશ આપવાની માંગ કરી છે. મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ સુનાવણીની માંગ કરશે.


બ્રિજભૂષણ સામે પોલીસે FIR નોંધી નહીં


WFIના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં તેમણે તેમની વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી છે. હવે મંગળવારે કુસ્તીબાજોના વકીલો ચીફ જસ્ટિસ સમક્ષ વહેલી સુનાવણીની માંગ કરશે. વિનેશ ફોગટ સહિત 7 ખેલાડીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે 21 એપ્રિલે તેઓ FIR નોંધવા માટે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી બેઠા હતા, પરંતુ પોલીસે FIR લખી ન હતી.


સમગ્ર મામલો શું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે જાણીતી મહિલા રેસલરો એ વિનેશ ફોગટના નેતૃત્વમાં 18 જાન્યુઆરીએ જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા વિરુદ્ધ ધરણા કર્યા હતા. આ દરમિયાન તેમણે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. દેશના અન્ય કુસ્તીબાજોએ પણ ફેડરેશન પર મનમાની કરવાની વાત કરી હતી. વિનેશ ફોગટની સાથે બજરંગ પુનિયા, સંગીતા ફોગટ, સોનમ મલિક અને અંશુ મલિક જેવા કુસ્તીબાજો પણ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સામે ધરણા પર બેઠા છે.



પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?

ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.