ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરવાના સરકારના નિર્ણયને પહેલવાનોએ આવકાર્યો, જાણો શું કહ્યું


  • Published By :
  • Published Date : 2023-12-24 18:53:16

ભારતીય કુસ્તી સંઘની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની જીત થતા પહેલવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સંજય સિંહ ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ પછી બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું હતું. અન્ય કેટલાક કુસ્તીબાજોએ પણ આનો વિરોધ કર્યો હતો. હવે આ પછી રવિવારે ખેલ મંત્રાલયે આ મામલાની નોંધ લીધી લેતા રેસલિંગ એસોસિએશનને સસ્પેન્ડ કરી દીધું છે. હવે આ મામલે રેસલર સાક્ષી મલિક તથા વિનેશ ફોગાટ સહિતે પ્રતિક્રિયા આપી છે.


સાક્ષી મલિકે શું કહ્યું?

 

સાક્ષી મલિકે રવિવારે આ મામલે મીડિયા સાથે વાત કરતાં સાક્ષી મલિકે કહ્યું, "મેં હજુ સુધી લેખિતમાં કંઈ જોયું નથી. મને ખબર નથી કે માત્ર સંજય સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે પછી સમગ્ર ફેડરેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે." હા. અમારી લડાઈ સરકાર સામે ન હતી. અમારી લડાઈ મહિલા કુસ્તીબાજો માટે છે. મને બાળકોની ચિંતા છે. મેં મારી નિવૃત્તિ જાહેર કરી દીધી છે પણ હું ઈચ્છું છું કે આવનારા કુસ્તીબાજોને ન્યાય મળે.


અમારી લડાઈ મહિલાઓના શોષણ સામે છેઃ વિનેશ ફોગાટ


વિનેશે સરકારના આ નિર્ણયને આવકાર્યો અને કહ્યું કે તે ખેલાડીઓ માટે સારું છે. યોગ્ય વ્યક્તિ ફેડરેશનનો પ્રમુખ બનવો જોઈએ. રેસલિંગ એસોસિએશનના પ્રમુખ પદ પર એક મહિલા આવવી જોઈએ, જેથી અમે પણ રાહત અનુભવીએ કે અમારી લડાઈ, અમારા સંઘર્ષની જીતી થી. કુસ્તીબાજોનું આંદોલન રાજકીય રીતે પ્રેરિત હોવાના આરોપ પર વિનેશે કહ્યું, 'મહિલાઓનું શોષણ થયું છે. અમે તેની સામે આંદોલન કરી રહ્યા છીએ. આમાં કેવું રાજકારણ છે? વિનેશે કહ્યું, 'તમે એક સારા માણસને મહાસંઘના પ્રમુખ બનાવો, એ પછી પણ અમે કંઈક કરીશું તો તમે કહેશો કે અમે રાજનીતિ કરીએ છીએ. અમે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે અમારી લડાઈ બ્રિજભૂષણ શરણ સિંહના શોષણ સામે છે. અમે તેની સામે કોર્ટમાં લડી રહ્યા છીએ. જે દિવસે અમને ન્યાય મળશે, અમે આંદોલન પણ ખતમ કરીશું.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે