પહેલવાનો Vs બ્રિજભૂષણ સિંહ કેસમાં આવ્યો નવો વળાંક! બ્રિજભૂષણ સિંહને મળી શકે છે મોટી રાહત, જાણો કેસની અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-31 14:01:09

ઘણા સમયથી પહેલવાનો બ્રિજભૂષણ શરણસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. જંતર મંતર ખાતે ધરણા કુસ્તીબાજો કરી રહ્યા હતા. પરંતુ રવિવારે થયેલી ઝપાઝપી બાદ દિલ્હીથી પહેલવાનો રવાના થઈ ગયા હતા. ઈન્ડિયા ગેટ ખાતે ધરણા કરવાના છે. આ મામલે અપડેટ આવી છે. બ્રિજભૂષણ સિંહ પર યૌન શોષણનો આરોપ લગાવામાં આવ્યો હતો. પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો કારણ કે આરોપ લગાવાવાળી નાબાલિક હતી. પરંતુ જે માહિતી સામે આવી છે તેમાં આરોપ લગાવવાળી નાબાકિલ નથી. ત્યારે બ્રિજભૂષણ સામે લાગેલો પોસ્કો એક્ટ હટી શકે છે. 


બ્રિજભૂષણ સિંહ પરથી હટી શકે પોસ્કો એક્ટ!

આ મામલે નવી અપડેટ સામે આવી છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ પોસ્કોનો એક્ટ દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જેણે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તે નાબાલિક નથી પરંતુ પુખ્ત વયની છે. મહત્વનું છે કે આરોપ લગાવ્યા બાદ કુસ્તીબાજો ધરણા પર બેઠા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર જે ખુલાસો થયો છે કે છોકરીએ પોતાની ઉંમર ઓછી બતાવી હતી. ત્યારે આ મામલે એવું લાગી રહ્યું છે કે નવેસરથી તપાસની શરૂઆત થાય. એક એવી પણ સંભાવના છે કે પોસ્કો એક્ટને હટાવાઈ શકે છે.           


સરકારને પહેલવાનોએ આપ્યું છે પાંચ દિવસનું અલ્ટીમેટમ!

WFI પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવામાં આવે તેવી માગ સાથે ઘણા દિવસોથી કુસ્તીબાજો દિલ્હી ખાતે ધરણા કરી રહ્યા છે. રવિવારે મહિલાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ નિકાળવાના હતા પરંતુ કુસ્તીબાજોની અટકાયત કરી લેવામાં આવી હતી. અનેક પહેલવાનો વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગઈકાલે પહેલવાનો પહેલા જાહેરાત કરવામાં આવી કે પોતાના મેડલ ગંગામાં પધરાવી દેશે પરંતુ અંતિમ ક્ષણે આ નિર્ણય કેન્સલ કરવામાં આવ્યો હતો. સરકારને પાંચ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે અનેક નેતાઓનું સમર્થન કુસ્તીબાજોને મળ્યું છે. 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.