જંતર મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! WFI અધ્યક્ષ વિરૂદ્ધ ખેલાડીઓએ ખોલ્યો છે મોરચો! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-03 16:27:26

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કુસ્તીબાજોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ કુસ્તીબાજોએ પોલીસ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. ખેલાડીઓએ કહ્યું કે જો તે જંતર મંતર પર સુરક્ષિત નથી તો તે ક્યાંય પણ સુરક્ષિત નથી. તો ધરણા પ્રદર્શનને સમર્થન આપવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ સમર્થન આપવા પહોંચ્યા હતા. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી  જેમાં વિદ્યાર્થીઓનો સાથ માગ્યો છે. પહેલવાનોના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રોકી દીધા , અભદ્ર વ્યવહાર કર્યો  અને મારપીટ પણ કરી હતી.    


પોલીસ સુરક્ષા લેવાનો કુસ્તીબાજોએ કર્યો ઈન્કાર! 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અંતરાષ્ટ્રીય સ્તરે દેશને ગોરવ અપાવનારા ખેલાડીઓ ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમની માગ છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પણ પગલા લેવામાં ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ પહેલવાનોએ ધરણા યથાવત રાખ્યા છે. ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળેલી પોલીસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી છે. 

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કરી કુસ્તીબાજો સાથે મુલાકાત!

કુસ્તીબાજોએ ધરણા સ્થળને અખાડો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યાં જ કસરત શરૂ કરી દીધી હતી. ત્યારે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા. અનેક ક્રિકેટરો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ પહેલવાનોને સમર્થન આપ્યું તો બીજી બાજુ અનેક ખેલાડીઓએ આ ધરણાને સમર્થન આપ્યું ન હતું. આ બધા વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા પહોચ્યા હતા અને તેમના સમર્થન હોય તેવા નિવેદન આપી સરકાર પર પ્રહાર કર્યા હતા.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.