જંતર મંતર ખાતે કુસ્તીબાજોના ધરણા યથાવત! WFI અધ્યક્ષ વિરૂદ્ધ ખેલાડીઓએ ખોલ્યો છે મોરચો! જાણો શું છે લેટેસ્ટ અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-03 16:27:26

છેલ્લા ઘણા દિવસથી દિલ્હીના જંતર મંતર ખાતે કુસ્તીબાજો ધરણા કરી રહ્યા છે. WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડ કરવામાં આવે તેવી કુસ્તીબાજોની માગ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોલીસે ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે પરંતુ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કુસ્તીબાજોને પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ કુસ્તીબાજોએ પોલીસ સુરક્ષા લેવાની ના પાડી દીધી છે. ખેલાડીઓએ કહ્યું કે જો તે જંતર મંતર પર સુરક્ષિત નથી તો તે ક્યાંય પણ સુરક્ષિત નથી. તો ધરણા પ્રદર્શનને સમર્થન આપવા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું હતું. જેને લઈ વિદ્યાર્થીઓ સમર્થન આપવા પહોંચ્યા હતા. બજરંગ પૂનિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી  જેમાં વિદ્યાર્થીઓનો સાથ માગ્યો છે. પહેલવાનોના સમર્થનમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આવવાના હતા. પરંતુ મળતી માહિતી અનુસાર પોલીસે તેમને રોકી દીધા , અભદ્ર વ્યવહાર કર્યો  અને મારપીટ પણ કરી હતી.    


પોલીસ સુરક્ષા લેવાનો કુસ્તીબાજોએ કર્યો ઈન્કાર! 

મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોથી અંતરાષ્ટ્રીય સ્તરે દેશને ગોરવ અપાવનારા ખેલાડીઓ ધરણા કરી રહ્યા છે. બ્રિજભૂષણ સિંહ સામે કડક પગલા લેવામાં આવે તેવી તેમની માગ છે. WFIના અધ્યક્ષ પર મહિલા કુસ્તીબાજોએ જાતીય સતામણી, અભદ્રતા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. કુસ્તીબાજો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પણ પોલીસ દ્વારા WFIના અધ્યક્ષ વિરૂદ્ધ કોઈ પણ પગલા લેવામાં ન આવતા તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અધ્યક્ષ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ કેસ દાખલ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈ પહેલવાનોએ ધરણા યથાવત રાખ્યા છે. ખેલાડીઓએ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મળેલી પોલીસ સુરક્ષા લેવાની પણ ના પાડી દીધી છે. 

પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલે કરી કુસ્તીબાજો સાથે મુલાકાત!

કુસ્તીબાજોએ ધરણા સ્થળને અખાડો બનાવી દીધો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યાં જ કસરત શરૂ કરી દીધી હતી. ત્યારે કુસ્તીબાજોના સમર્થનમાં અનેક ખેલાડીઓ આવ્યા. અનેક ક્રિકેટરો તેમજ ફિલ્મ જગતના કલાકારોએ પહેલવાનોને સમર્થન આપ્યું તો બીજી બાજુ અનેક ખેલાડીઓએ આ ધરણાને સમર્થન આપ્યું ન હતું. આ બધા વચ્ચે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. પ્રિયંકા ગાંધી તેમજ અરવિંદ કેજરીવાલ ધરણા કરી રહેલા પહેલવાનોને મળવા પહોચ્યા હતા અને તેમના સમર્થન હોય તેવા નિવેદન આપી સરકાર પર પ્રહાર કર્યા હતા.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!