કુસ્તી સંઘના અધ્યક્ષ સામે પહેલવાનોએ ફરી મોરચો ખોલ્યો, બ્રિજ ભૂષણ સિંહ સામે કાર્યવાહીની કરી માગ


  • Published By :
  • Published Date : 2023-04-23 20:02:54

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે સામે ફરી એકવાર  પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા સાથેના વિવાદને લઈને આજે જંતર-મંતર ખાતે રેસલર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે ધરણ પર બેઠેલા પહેલાવાનોએ પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.


WFI અધ્યક્ષ સામેનો તપાસ રિપોર્ટ જાહેર કરો


મીડિયા સાથે વાત કરતા સાક્ષી મલિકે કહ્યું કે  WFI અધ્યક્ષ સામેના તપાસ રિપોર્ટની રાહ જોતા અઢી મહિના વીતી ગયા, અમને એ પણ ખબર નથી કે રિપોર્ટ રજુ થયો છે કે નહીં. અમને હજુ સુધી કોઈ રિપોર્ટ મળ્યો નથી. હવે રિપોર્ટ બધાની સામે આવવો જોઈએ. સિસ્ટમમાં બેઠેલા લોકો જુઠ્ઠું બોલી રહ્યા છે, લોકો અમને જુઠ્ઠા કહી રહ્યા છે, લોકો અમારી કામગીરી વિશે જુઠ્ઠું બોલી રહ્યા છે, અમે આ સહન નહીં કરીએ. આ કેસમાં બે દિવસ પણ ન લાગવા જોઈએ, છોકરી સગીર છે. આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અમારી ફરિયાદ નાની નથી, અમે અહીં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે અને આ સત્યની લડાઈ છે અને અમે જીતીશું.


WFI અધ્યક્ષ પર આરોપ શું છે?


પહેલવાનોનો આરોપ છે કે રેસલર ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બૃજભૂષણ સિંહે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો અને ખેલાડીઓને ગાળો પણ આપી હતી. પહેલવાનોએ કહ્યું હતું કે અમે અહીં રમવા આવ્યા છીએ, તેઓ ખાસ કરીને ખેલાડીઓ અને રાજ્યને ટાર્ગેટ કરે છે. વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ પર મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોચને લઈને પણ કહ્યું હતું કે તેઓ યૌન ઉત્પીડન કરે છે. મેં અવાજ ઉઠાવ્યો હતો. WFI અધ્યક્ષ મહિલા પહેલવાનોના યૌન ઉત્પીડન કરે છે. પહેલવાનોનું કહેવું છે કે તેઓ આ લડાઈ છેલ્લે સુધી લડશે.


WFI અધ્યક્ષની થઈ હતી હંગામી હકાલપટ્ટી


મહિલા પહેલવાન પર યૌન ઉત્પીડનન આરોપ સાથે કુસ્તીબાજોનું પ્રદર્શન જાન્યુઆરીમાં ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથેની વાતચીત બાદ કુસ્તીબાજોએ હડતાળ પાછી ખેંચી હતી. તે સમયે બ્રિજ ભૂષણ શરણ સિંહને રેસલિંગ એસોસિએશનના અધ્યક્ષ પદ પરથી હંગામી ધોરણે હટાવી દેવામાં આવ્યા હતા અને તેમની સામેના આરોપોની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે