28 મેના રોજ સંસદ ભવનના નવા બિલ્ડીંગનું PM મોદી કરશે ઉદ્ઘાટન, કુસ્તીબાજો યોજશે મહિલા મહાપંચાયત


  • Published By :
  • Published Date : 2023-05-23 21:42:52

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર ખાતે કુસ્તીબાજોનો વિરોધ એક મહિનાથી ચાલુ છે. કુસ્તીબાજ વિનેશ ફોગાટે મંગળવારે કહ્યું કે 28 મેના રોજ નવી સંસદ ભવન સામે મહિલા મહાપંચાયત બોલાવવામાં આવી છે. બ્રિજ ભૂષણની ધરપકડ માટે આ શાંતિપૂર્ણ પંચાયત હશે.


કુસ્તીબાજોનું કર્તવ્ય પથ પર પ્રદર્શન  


બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ માટે કુસ્તીબાજો આજે એટલે કે 23મી મેની સાંજે ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરી રહ્યું હતું. તેઓ મીણબત્તી (કેન્ડલ માર્ચ) પ્રગટાવીને બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન, કુસ્તીબાજોના સમર્થનમાં કર્તવ્ય પથ પર કેન્ડલ માર્ચ દરમિયાન ભીડ પણ ઉમટી હતી.


PM મોદી 28 મેના રોજ નવી સંસદનું ઉદ્ઘાટન કરશે


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે વડા પ્રધાન મોદીને મળ્યા હતા અને તેમને નવનિર્મિત સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ તેનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભાએ સરકારને સંસદ માટે નવી ઇમારત બાંધવા વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંસદની નવી ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.