દિલ્હીના જંતર-મંતર પર હોબાળો, સંસદ ભવન તરફ કૂચ કરી રહેલા કુસ્તીબાજોની પોલીસે કરી અટકાયત


  • Published By :
  • Published Date : 2023-05-28 16:48:25

દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા એકઠા થયેલા વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અને બજરંગ પૂનિયા સહિતના કુસ્તીબાજોની પોલીસે અટકાયત કરી છે. આ પહેલવાનો પોલીસને ઘેરો તોડીને સંસદ ભવનની સામે મહાપંચાયત કરવા માટે જઈ રહ્યા હતા. જો કે આવું કરે તે પહેલા જ પોલીસે તેમને રોકી લીધા હતા. પહેલવાનોનું કહેવું છે કે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ સરઘસ કાઢવાના હતા અને આ અમારો અધિકાર પણ છે.

 

કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ


વિરોધ પ્રદર્શન કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસે અને પહેલવાનોએ એકબીજાને ધક્કા પણ માર્યા હતા. વિનેશ ફોગાટ અને તેની બહેન સંગીતા ફોગાટે બેરિકેડ તોડવાના પ્ર યાસો કર્યા હતા. પોલીસે તમામ પહેલવાનોની બળપૂર્વક અટકાયત કરી હતી અને તેમને જબરદસ્તી બસોમાં બેસાડ્યા હતા. 


મહાપંચાયત ચોક્ક્સ થશે- બજરંગ પુનિયા


કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે આજે મહાપંચાયત જરૂર થશે. અમે તેની મંજુરી માટે અરજી કરી હતી. પોલીસ અમરા લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. પૂનિયાએ આરોપ લગાવ્યો કે પોલીસે અમારી સાથે ખરાબ વર્તન કર્યું છે. અમે સ્વાભિમાન માટે લડી રહ્યા છિએ, પરંતુ દેશમાં લોકશાહીની હત્યા કરી રહ્યા છે. અમે વહીવટી તંત્રને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલા લોકોને મુક્ત કરવાની માગ કરીએ છિએ.  


હજારો પોલીસકર્મીઓ તૈનાત કરાયા


પહેલવાનો દ્વારા મહિલા સન્માન મહાપંચાયતનું આહવાન કરાયા બાદ દિલ્હી સ્થિત જંતર-મંતર પર કડક સુરક્ષા બંદોબસ્ત કર્યો હતો. હજારો પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા, અનેક સ્થળોએ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. સંસદ ભવનથી લગભગ બે કિમી દુર બેસીને પ્રદર્શન કરી રહેલા પહેલવાનોનું  કહેવું હતું કે અમે કોઈ પણ કિંમત પર નવા સંસદ ભવન નજીક મહાપંચાયત કરીશું જ 



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.