કુસ્તીબાજોની આર કે પારની લડાઈ! નોકરી પર પરત ફરેલા કુસ્તીબાજોએ નોકરી છોડવાની આપી ધમકી! જો ન્યાયના રસ્તામાં નોકરી આવશે તો....


  • Published By :
  • Published Date : 2023-06-06 09:16:25

ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે પહેલવાનોએ મોરચો ખોલ્યો છે. બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો અડીખમ દેખાઈ રહ્યા છે. ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા હતા કે બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ધ જે આંદોલન ચાલી રહ્યું છે તે પહેલવાનોએ પાછું ખેંચી લીધું છે. સાક્ષી મલિક સહિતના પહેલવાનોએ આંદોલન છોડી દીધું છે તેવા સમાચાર વહેતા થયા હતા. મળતી માહિતી અનુસાર રેલવે નોકરી પર તેઓ સોમવારે પરત ફર્યા પરંતુ આંદોલન યથવાત રાખવાની વાત કરી હતી. ત્યારે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવે નોકરી છોડવાની ધમકી આપી છે. જો ન્યાય માટે રેલવે નોકરી બાધક બનશે તો નોકરી છોડવામાં અમને ટાઈમ નહીં લાગે.

       

પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની કરી હતી વાત!

જ્યારથી પહેલવાનો ધરણા કરવા બેઠા ત્યારથી તમામની નજર પહેલવાનો પર હતી. દિલ્હીથી પણ આ મામલે સતત અપડેટ આવતા હતા. અનેક રાજકીય નેતાઓ કુસ્તીબાજો સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા, અને તે બાદ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા હતા. અનેક દિવસો સુધી કોઈ કાર્યવાહી ન કરાતા પહેલવાનોએ પોતાના મેડલને ગંગામાં વહાવી દેવાની વાત કરી હતી. પરંતુ છેલ્લી ઘડીએ તેમણે આ નિર્ણયને કેન્સલ કરી દીધો હતો. 


કુસ્તીબાજોએ કરી હતી અમિત શાહ સાથે મુલાકાત!

ત્યારે થોડા દિવસ પહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી પોતાની વાત રજૂ કરી હોય એવા સમાચાર સામે આવ્યા હતા. કાર્યવાહીને લઈ અમિત શાહે ખાતરી કુસ્તીબાજોને આપી હતી. અમિત શાહ સાથે થયેલી મુલાકાત બાદ ગઈકાલે એવા સમાચાર સામે આવ્યા કે સાક્ષી મલિક સહિતના કુસ્તીબાજોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે. પરંતુ આ વાતોનો કુસ્તીબાજોએ ઈન્કાર કર્યો અને આંદોલન ચાલું રાખવાની વાત કરી. મળતી માહિતી અનુસાર એ વાત સત્ય છે કે પહેલવાનો પોતાની રેલવે નોકરી પર પરત ફર્યા છે પરંતુ આંદોલન ચાલુ રાખ્યું છે તેવું તેમનું કહેવું છે. 

કુસ્તીબાજોએ રેલવે નોકરી છોડવાની આપી ધમકી! 

આ બધા વચ્ચે બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે રેલવેની નોકરી છોડવા અંગેની વાત કહી છે. નોકરી છોડવાની ધમકી આપતા તેમણે કહ્યું કે અગર ન્યાય માટેના રસ્તા પર જો નોકરી બાધક બનશે તો નોકરી છોડતા તેમને થોડો પણ ટાઈમ નહીં લાગે. મહત્વનું છે કે સાક્ષી મલિક, બજરંગ પૂનિયા અને વિનેશ ફોગાટે સોમવારે રેલવે નોકરી પર પરત ફર્યા છે. ત્યારે રેલવે નોકરી પર જયા પછી જ કુસ્તીબાજોએ આંદોલન માટે નોકરી છોડવાની ધમકી આપી દીધી હતી. તે સિવાય અફવાઓથી દૂર રહેવા પણ કુસ્તીબાજોએ અપીલ કરી હતી.  હવે જોવું રહ્યું કે આંદોલનમાં શું નવી અપડેટ આવશે?   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.