આંદોલન ખતમ કરવાની કુસ્તીબાજોએ કરી જાહેરાત, પહેલવાનોએ ટ્વિટ કરી આપી જાણકારી, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-26 15:08:38

દેશની રાજધાની દિલ્હીમાં ઘણા મહિનાઓથી પહેલવાનો WFIના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા. મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા છે. જંતર મંતર ખાતે ધરણા પર બેસી પૂર્વ અધ્યક્ષ વિરૂદ્ધ કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે છેલ્લા ઘણા સમયથી તેઓ ધરણા પ્રદર્શન ન કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે કુસ્તીબાજો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે રોડ પર લડાઈ ન લડી કોર્ટમાં લડાઈ લડશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે.


અમિત શાહ તેમજ અનુરાગ ઠાકુર સાથે કરી હતી મુલાકાત  

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કુસ્તીબાજો ઘણા મહિનાઓથી આંદોલન કરી રહ્યા છે. ઘણા મહિનાઓ માટે કુસ્તીબાજોએ જંતર મંતરને પોતાનું ઘર બનાવી લીધું હતું. ત્યારે થોડા સમયથી તેઓ ધરણા સ્થળ પર ધરણા નથી કરી રહેલા. જ્યારે કુસ્તીબાજો આંદોલન કરી રહ્યા હતા તે દરમિયાન અનેક નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. ત્યારે થોડા સમય પહેલા કુસ્તીબાજોએ અમિત શાહ સાથે અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. જે બાદ પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. 

ત્રણેય કુસ્તીબાજોએ ટ્વિટ કરી આપી જાણકારી   

નેતાઓ સાથે બેઠક કર્યા બાદ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું. ત્યારે આજે કઈ દિશામાં આંદોલન જશે તે અંગે કુસ્તીબાજોએ એલાન કર્યું છે. મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિક, બજરંગ પુનિયા તેમજ વિનેશ ફોગાટે ટ્વિટ આપી માહિતી આપી હતી. ત્રણેય કુસ્તીબાજોએ લખ્યું કે 7 જૂને સરકાર સાથે વાતચીત થઈ હતી. કુસ્તીબાજો સાથે આપેલા વચન બાદ, સરકારે મહિલા કુસ્તી ખેલાડીઓ દ્વારા રેસલર્સની જાતીય શોષણ અંગેની ફરિયાદ કરતા FIR નોંધી હતી. દિલ્હી પોલીસે તપાસ પૂર્ણ કરી છે અને 15મી જૂને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. આ કિસ્સામાં, કુસ્તીબાજોની કાનૂની લડાઈ કોર્ટમાં ચાલુ રહેશે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.