બ્રિજભૂષણના રાજીનામાની માગ પર પહેલવાનો અડીખમ, આજે પણ અનુરાગ ઠાકુર સાથે યોજાઈ શકે છે બેઠક


  • Published By :
  • Published Date : 2023-01-20 09:59:43

દિલ્હીના જંતર-મંતર ખાતે ભારતીય કુશ્તીબાજ ધરણા પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોધાવી રહ્યા છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ પર યૌન શૌષણના આરોપો મહિલા પહેલવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. બ્રિજભૂષણ વિરૂદ્ધ તેઓ ધરણા કરી રહ્યા છે. આ ધરણાને લઈને ખેલમંત્રાલય પણ ગંભીર થઈ છે. કેન્દ્રીય ખેલમંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રી સાથે લગભગ ચાર-સાડા ચાર કલાક સુધી બેઠક થઈ હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો.

   


WFI અધ્યક્ષના રાજીનામાની કરી રહ્યા છે માગ  

બુધવારથી WFIના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ સામે ભારતના પહેલવાનો વિરોધ નોંધાવી રહ્યા છે. જંતર મંતર ખાતે વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક જેવા રમતવીરો ધરણા કરી રહ્યા છે. ગુરૂવારે પણ તેમના ધરણા યથાવત જોવા મળ્યા હતા. યૌન શોષણને લઈ પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. અને WFIના અધ્યક્ષના રાજીનામાની માગ કરી રહ્યા છે. આ મામલાને ધ્યાનમાં રાખી ખેલમંત્રાલય પણ ગંભીર બન્યું છે.

  

આજે પણ યોજાવાની છે બેઠક 

ગુરૂવારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પહેલવાનો સાથે બેઠક કરી હતી. મંત્રીએ પહેલવાનો સાથે ડિનર પણ કર્યું હતું અને બેઠક કરી હતી. આ બેઠક અંદાજીત ચાર કલાક જેટલી લાંબી ચાલી હતી પરંતુ કોઈ ઉકેલ આવ્યો ન હતો. ખેલમંત્રાલયના અધિકારીઓ સાથે મળીને અધ્યક્ષ બ્રિજભૂષણને હટાવવાની માગ કરી છે. આ મામલાને લઈ આજે ફરી એક વખત બેઠક થવાની છે. મળતી માહિતી અનુસાર બેઠક પહેલા નવાબગંજ સ્થિત કુશ્તી કેન્દ્ર ખાતે બ્રિજભૂષણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.