જૂનાગઢમાં વણસી પરિસ્થિતિ! દરગાહ બહાર ડિમોલીશનની નોટિસ ચોંટાડાતા લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે કર્યો બળપ્રયોગ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 15:30:42

જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે આવેલી દરગાહને ડિમોલીશન માટે 16 જૂને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે પોલીસ દરગાહ બહાર નોટિસ લગાવવા પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો ભડકી ઉઠયા. તોડફોડ કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. લોકો ઉગ્ર બની જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજેવડી ગેઈટ પાસે આવેલી હઝરત રોશનશા પીર બાવાની દરગાહને તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડિમોલીશનની કામગીરી કરવા પોલીસ પહોંચી ત્યારે 200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બળપ્રયોગ કર્યા હતા. પોલીસ સ્ટેશન આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. 

 


પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ!

જૂનાગઢમાં પોલીસ અને લોકો સાથે ઘર્ષણ થયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ મજેવડી ગેઈટ પાસે આવેલા હઝરત રોશનશા પીર બાવાની હરગાહને તોડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. 200થી વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે આ વાત બીજા લોકો સુધી પહોંચી તો બીજા લોકો પણ ત્યાં આવી ગયા. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળું બેકાબુ બની ગયું હતું અને એસટી બસની તોડફોડ કરી દીધી હતી. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પરંતુ લોકો દ્વારા મોટરસાઈકલોને સળગાવી દીધી હતી. આ ઘટનામાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઈઓ ઘાયલ થયા હતા.

   


ટોળા પર કાબુ મેળવવા પોલીસે કરી લાઠીચાર્જ!

એસટી બસમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. ટોળાએ પોલીસ પર સોડાની બોટલો, પથ્થરોથી હુમલા કર્યા હતા. પોલીસે ટોળા પણ કાબુ મેળવવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.    



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.