જૂનાગઢમાં વણસી પરિસ્થિતિ! દરગાહ બહાર ડિમોલીશનની નોટિસ ચોંટાડાતા લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ, પોલીસે કર્યો બળપ્રયોગ,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-17 15:30:42

જૂનાગઢના મજેવડી ગેઈટ પાસે આવેલી દરગાહને ડિમોલીશન માટે 16 જૂને નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યારે પોલીસ દરગાહ બહાર નોટિસ લગાવવા પહોંચી ત્યારે ત્યાં હાજર લોકો ભડકી ઉઠયા. તોડફોડ કરી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો. લોકો ઉગ્ર બની જતા પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. મજેવડી ગેઈટ પાસે આવેલી હઝરત રોશનશા પીર બાવાની દરગાહને તોડવાની નોટિસ મનપા દ્વારા આપવામાં આવી હતી. જ્યારે ડિમોલીશનની કામગીરી કરવા પોલીસ પહોંચી ત્યારે 200થી વધુ લોકો ત્યાં પહોંચ્યા હતા. પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે સ્થિતિ બેકાબુ બની હતી અને સ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે બળપ્રયોગ કર્યા હતા. પોલીસ સ્ટેશન આગળ પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી. 

 


પોલીસ અને લોકો વચ્ચે થયું ઘર્ષણ!

જૂનાગઢમાં પોલીસ અને લોકો સાથે ઘર્ષણ થયા હોવાના સમચાર સામે આવી રહ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી કરવા જ્યારે પોલીસ મજેવડી ગેઈટ પાસે આવેલા હઝરત રોશનશા પીર બાવાની હરગાહને તોડવા ગઈ ત્યારે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા. 200થી વધારે લોકો ત્યાં આવી પહોંચ્યા અને જ્યારે આ વાત બીજા લોકો સુધી પહોંચી તો બીજા લોકો પણ ત્યાં આવી ગયા. પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ મોડી રાત્રે ટોળું બેકાબુ બની ગયું હતું અને એસટી બસની તોડફોડ કરી દીધી હતી. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળનો પ્રયોગ કર્યો હતો. પરંતુ લોકો દ્વારા મોટરસાઈકલોને સળગાવી દીધી હતી. આ ઘટનામાં એક ડિવાયએસપી અને ચાર પીએસઆઈઓ ઘાયલ થયા હતા.

   


ટોળા પર કાબુ મેળવવા પોલીસે કરી લાઠીચાર્જ!

એસટી બસમાં જ્યારે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે બસમાં બેઠેલા લોકોને ઈજાઓ પણ પહોંચી હતી. બસમાં બેઠેલા મુસાફરોમાં ભારે ભય જોવા મળ્યો હતો. ટોળા પર કાબુ મેળવવા પોલીસે બળજબરીનો પ્રયોગ કર્યો હતો. ટોળાએ પોલીસ પર સોડાની બોટલો, પથ્થરોથી હુમલા કર્યા હતા. પોલીસે ટોળા પણ કાબુ મેળવવા ટીયર ગેસના શેલ છોડ્યા હતા. મળતી માહિતી અનુસાર આ હિંસામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે.    



થોડાક સમય પેહલા દિલ્હીથી છટ્ઠ પૂજા નિમિતે એવા દ્રશ્યો સામે આવ્યા હતા કે લોકો જયારે યમુનામાં પૂજા વિધિ કરવા ઉતરતા તો સફેદ ફીણ જોવા મળતું હતું . પરંતુ હવે આ દ્રશ્યો ભૂતકાળ બનશે . કેમ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યમુના નદીની સ્વછતા અને કાયાકલ્પની કામગીરી કેટલે પહોંચી છે તે જાણવા એક રીવ્યુ મીટીંગનું આયોજન કર્યું હતું. આ મિટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન ૭ લોક કલ્યાણ માર્ગ પર યોજાઈ હતી. જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ , દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા.

આપણો પાડોશી દેશ પાકિસ્તાન જે ખુબ મોટી આર્થિક પાયમાલીમાંથી પસાર થઇ રહ્યો છે સાથે જ તેના ઘણા પ્રાંતોમાં જેમ કે બલુચિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જબરદસ્ત અલગાવવાદી હિંસક દેખાવો થઈ રહ્યા છે તેમ છતાં તેમના આર્મી જનરલ અસીમ મુનીરે હિન્દૂઓ માટે ટિપ્પણી કરી છે. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તો તેઓ જાણે કોઈ આંકડાકીય રમત ચાઇના સાથે રમી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે તેમણે ચાઈના પર ટેરિફ વધારીને ૨૪૫% કરી દીધો છે. તો બીજી તરફ ચાઈનાએ કહી દીધું છે કે , અમને એક ચોક્કસ આંકડો આપી દો. વાત કરીએ ભારતની તો , છેલ્લા ચાર વર્ષમાં કેનેડા , અમેરિકા અને યુનિટેડ કિંગડમ જવાવાળા વિદ્યાર્થીઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે.

અમેરિકાની પ્રખ્યાત હાવર્ડ યુનિવર્સીટીને મળતું ફેડરલ ફંડ ટ્રમ્પ સરકાર દ્વારા અટકાવી દેવામાં આવ્યું છે. જેનાથી સમગ્ર અમેરિકા સહીત ત્યાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ખળભળાટ મચી ગયો છે. જોકે હાવર્ડ યુનિવર્સિટીનું તંત્ર ટ્રમ્પ સરકારની કોઈ વાત માનવા તૈયાર નથી . વાત ચાઈનાની તો , ચાઇના અમેરિકાના રેસિપ્રોકલ ટેરિફને લઇને જોરદાર રીતે ગુસ્સે ભરાયેલું છે તેવા સંજોગોમાં તેણે અમેરિકાની બોઇંગ કંપનીના વિમાન લેવાનું માંડી વાળ્યું છે. પશ્ચિમ એશિયાનો દેશ સાઉદી અરેબિયા જેણે હવે સિરિયાની નવી સરકારનું દેવું ચૂકવવાનું નક્કી કર્યું છે. તેનાથી અમેરિકા ગુસ્સામાં છે.

Once again Rahul Gandhi has come to Gujarat, this is his third visit in 37 days. There is discussion all over Gujarat, many people say that there will be a rebirth of Congress in Gujarat. It is said that nothing will change after these visits, otherwise the reasons and issues will be discussed in detail. Due to which there is optimism in Congress!